શહીદ મેજર ના ઘરે પહોંચ્યા UP CM યોગી ના પિતા, કહ્યું- મિસાઇલોથી મિટાવી નાખો પાકિસ્તાન

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતા આનંદ સિંહ શહીદ થયેલા મેજર ચિત્રેશ બિષ્ટ ના ઘરે પહોંચ્યા હતા. ત્યા તેઓએ મેજર ના પિતા ને દિલાસો આપ્યો હતો. મુલાકાત પછી આનંદ સિંહ એ કહ્યું હતું કે ભારતે જે મિસાઈલ બનાવી છે, તે કયા દિવસે કામ આવશે. અત્યારે સમય આવી ગયો છે કે આ મિસાઇલોને પાકિસ્તાન નાખીને તેઓ ને નાબુત કરી નાખો.

આજે રવિવારે બપોરે બે વાગ્યે આનંદ સિંહ શહીદ મેજર ના પિતા પાસે પહોંચ્યા હતા. અને તેના પરિવારને સાંત્વના આપી હતી. તેઓએ કહ્યું હતું કે પોતાના દીકરાને અકાળે ગુમાવવો તે એક પિતા અને માતા માટે સૌથી મોટું દુઃખ છે. અને એક પિતાના દુઃખ ને જોઈને તેઓ આકર્ષિત થઈ ગયા હતા.

અને આક્રોશ થી કહ્યું હતું કે ભારતે આ મિસાઇલ શું કામ તૈયાર કરી છે, સમય આવી ગયો છે કે પાકિસ્તાનને ખતમ કરી નાખી. આપણા જવાન દીકરાઓ પોતાની જાન ગુમાવી રહ્યા છે. આપણે પાકિસ્તાનને મુહતોડ જવાબ આપવો જોઈએ. તેઓએ કહ્યું હતું કે તેને મોદી સરકાર ઉપર પૂરો ભરોસો છે. તે ઘણા કડક પગલાં લેશે તેની ખાતરી છે.

જણાવી દઈએ કે શનિવારે IED વિસ્ફોટમાં શહીદ થયેલા મેજર ચિત્રેશ ના આવતી 7 માર્ચે લગ્ન થવાના હતા. ત્યાં સુધી કે લગ્ન માટે હોટલ પણ બૂક થઇ ચૂકી હતી. તેઓના રિટાયર થયેલા ઇન્સ્પેક્ટર પિતા લોકોને કંકોત્રી વહેંચવામાં વ્યસ્ત હતા. પરંતુ શનિવારે સાંજે દીકરાની શહાદતની ખબર પડતાં જ આખો પરિવાર તૂટી પડયો હતો.

તેઓએ જણાવ્યું હતું કે તેનો અંતિમ સંસ્કાર સોમવારે કરવામાં આવશે. શહીદ મેજર ના એક ભાઈ વિદેશમાં નોકરી કરતા હોવાથી ભાઈના પહોંચ્યા પછી અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

મેજર ના શહીદ થવા પર ઉત્તરાખંડના મુખ્યમંત્રી એ પણ કહ્યું હતું કે રાજૌરી ના નૌશેરા સેક્ટરમાં થયેલા IED બ્લાસ્ટ માં ઉત્તરાખંડના મેજર સહિત થયા છે. હું મેજરના આ સર્વોચ્ચ બલિદાન ને કોટી કોટી નમન કરતા તેના પરિજનો પ્રત્યે સાંત્વના વ્યક્ત કરું છું. અને ભરોસો આપું છું કે આ દુઃખની અને મુશ્કેલીની ઘડીમાં આખો દેશ તેની સાથે છે.

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team