રવિવારે કરો રોટલી-ગોળનો આ એક નાનો ઉપાય, ઘરમાં સમૃદ્ધિ આવશે

આ ધરતી ઉપર કોઈ પણ એવો માણસ નહીં હોય જેને કંઈ ઈચ્છા ન હોય. દરેક માણસની વાત કરીએ તો આપણે માત્ર સંપત્તિની જ વાત નથી કરતા કે વસ્તુ ની વાત નથી કરતા પણ દરેક દ્રષ્ટિએ કોઈને કોઈ ઈચ્છા દરેક માણસને થતી હોય છે. અને અમુક ઇચ્છાઓ સામાન્ય માણસને સામાન્યપણે જોવા મળે છે જેમ કે પોતાનું ઘર હોય, એક ગાડી હોય વગેરે. ઘણી વખત લોકો ને પોતાનું ઘર ન મળવાથી તેઓ નિરાશ થઇ જાય છે.

હકીકતમાં જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, ભૂમિ લાભ ગ્રહો ના શુભ ફળ પર નિર્ભર છે. જો કુંડળીમાં મંગળ, સૂર્ય નબળા હોય અથવા એની પર કોઈ ગ્રહ ની નજર હોય, તો ઘર બનવા દેતા નથી. ઘણી વખત આપણે વિચારતા હોઈએ છીએ કે ઘણા લોકો ને કેટલા ઘર છે અને આપણે એક પણ કેમ નથી. જણાવી દઈએ કે એવા લોકો ગ્રહબલી હોય છે. અને આમ પણ અત્યારના સમયમાં મકાનનું નિર્માણ કરવું તે ખરેખર કઠીન કામ છે. અને ખાસ કરીને જ્યારે આપણે ભાડે રહેતા હોય ત્યારે મકાન બનાવવું ખૂબ અઘરું પડી જાય છે.

અથવા ઘણી વખત આપણે નવું ઘર લેવાની પ્લાનિંગ કર્યા પરંતુ કંઈક ને કંઈક અડચણ આવી જતી હોય તો એનો મતલબ એવો પણ હોઈ શકે છે કે કોઈ ગ્રહ ના લીધે આવી દશા હોઈ શકે. આવામાં એક ઉપાય છે જેને કરવાથી મંગળ અને સૂર્ય મજબૂત બને છે જે બધી અડચણોને દૂર કરી શકે છે.

જો કુંડળીમાં ગુરુ નીચેનો હોય, મંગલ દુશ્મન ઘરમાં બેઠા હોય અને સૂર્ય પર રાહુ-કેતુની નજર હોય તો આવા સમયે કરવામાં આવે છે. આવામાં ગ્રહને શુભ કરવા માટે ઓછામાં ઓછા 21 રવિવાર સુધી આ ઉપાય કરવો જોઈએ. રવિવારે સવારે જાગીને સ્નાનાદિકાર્યથી પરવારીને સૌથી પહેલા ભગવાન સૂર્યને તાંબાના લોટામાં રાખેલું શુદ્ધ પાણી, સાથે થોડું ગંગાજળ, અક્ષત એટલે કે ચોખા, ગુલાબની પાંદડીઓ (લાલ), થોડું સિંદૂર, અને ખાંડ ભેળવીને અર્પણ કરી દો. ખાસ ધ્યાન રાખવું કે જ્યારે તમે જળ અર્પણ કરી રહ્યા હોય ત્યારે તમારી નજર લોટામાંથી નીચે પડતી ધાર ઉપર હોવી જોઈએ, સૂર્ય ભગવાન સામે નહીં. અને એ પણ ખાસ ધ્યાન રાખવું કે આ પાણીના છાંટા પગમાં ઉડે નહી. જ્યારે જળ અર્પણ કરો ત્યારે ઓમ ઘૃણિ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરતા રહો.

આટલું કર્યા પછી ઘરમાં તાજા લોટ માંથી રોટલી બનાવો. રોટલી ઠંડી પડી જાય ત્યારે તેમાં જુના ગોળનુ ભીલુ રાખી દો અને કોઈપણ ગૌશાળામાં ચાઇના લાલ ગાયને ખવડાવી દો.

ધ્યાન રાખવું કે રોટલી અને ગોળ ગાય સામે ફેકવા નહીં પરંતુ હાથેથી જ ખવડાવવા. ખવડાવ્યા પછી ગાયને પ્રણામ કરીને તેના ચરણ સ્પર્શ કરવાં. આવો ઉપાય કાયમ ચાલુ રાખો.

અને પછી તમે જોશો કે અચાનક જ તમારા ઘર માટેની તમામ અડચણો દૂર થવા લાગશે. અને આ ઉપાયનો એક બીજો ફાયદો એ પણ છે કે જો આ ઉપાય કરવાથી તમારું ઘર બને છે તો તમારે ઘર માટે આર્થિક તંગીનો સામનો કરવો પડશે નહીં. અને લોન લઈને પણ બનાવતા હોવ તો અથવા ખરીદતા હોવ તો લોન ચૂકવવામાં પણ સમસ્યા થશે નહીં.

તમારા અંગત મિત્રો અને સગા-સંબંધીઓ જોડે આ ઉપાયને શેર કરજો.

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team