વડોદરાના આ કપલે પોતાના લગ્નના વરઘોડામાં આપી શહીદો ને શ્રદ્ધાંજલિ

પુલવામામા થયેલ આતંકી હુમલાને દેશના દરેક નાગરિક સહિત રાજનૈતિક હસ્તીઓ, બૉલીવુડ તેમજ દરેક પ્રકારની સેલિબ્રિટીઓએ વખોડી કાઢ્યો છે. અને આપણા જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય એવી પણ પ્રધાન મંત્રીએ સાંત્વના આપી છે.

દરેક લોકો ના મનમાં અત્યારે આક્રોશ અને દુઃખ બંને છે, શહીદો અને તેના પરિવારો પ્રત્યે દુઃખ છે તો આતંકીઓ અને તેના આકાઓ સામે આક્રોશ ભરેલો છે. દરેક લોકો સોશિયલ મીડિયામાં કે પોતાના શહેરમાં અલગ અલગ રીતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

આવા સમયે વડોદરામાં લગ્ન કરી રહેલા કપલ એ અલગ જ રીતે શ્રદ્ધાંજલિ આપી હતી. લગ્નમાં જ્યારે વરઘોડો કાઢવામાં આવે ત્યારે આ કપલ પોતાના વરઘોડામાં અલગજ રીતે દેશભક્તિ દેખાડી હતી.

તેઓએ પોતાના વરઘોડામાં પુલવામામાં થયેલા હુમલામાં શહીદ થયેલા લોકો ને શ્રદ્ધાંજલિ આપવા માટે લગ્નમાં હાજર દરેક લોકોએ તિરંગો લહેરાવ્યો હતો. તેમજ વરઘોડામાં રહેલા કપલ એ પણ હાથમાં પોસ્ટર તેમજ સાથે તિરંગો રાખ્યો હતો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts