શું કહે છે બોલિવૂડ એર સ્ટ્રાઇક વિશે? જાણીને જોશ વધી જશે

પુલવામામાં આતંકી હુમલા પછી જવાબી કાર્યવાહીમાં ભારતે નોન મિલિટરી એકશન દ્વારા એલ.ઓ.સી ની પેલે પાર જઈને 1000 કિલો બોમ્બ વર્ષ આવ્યા હતા, જેમાં આતંકી સંગઠન ના કેમ્પોનો સફાયો કરી નાખ્યો હતો. હુમલો કર્યા બાદ પાકિસ્તાનને ખબર પડે અને તે કાંઈ જવાબી કાર્યવાહી કરે તેની પહેલા ભારતના લડાકુ વિમાનો ત્યાંથી નીકળી ગયા હતા.

જોકે અમુક પાકિસ્તાનના લડાકુ વિમાનો તેનો પીછો કર્યો હતો પરંતુ આપણા વિમાનોની સંખ્યા જોઈને તેઓ પણ પાછા ફરી ગયા હતા. એટલે કે એક વાત તો ચોખ્ખી હતી કે આર યા પાર આ વખતે ઇન્ડિયન એરફોર્સ પૂરી તૈયારી સાથે ગઈ હતી. આ એર સ્ટ્રાઈક કર્યા બાદ દરેક લોકો ઇન્ડિયન એરફોર્સના વખાણ કરી રહ્યા છે. એવામાં બૉલીવુડ પણ પાછું ન રહે એ સમજવા જેવી વાત છે, બોલિવૂડના સેલિબ્રિટીઓએ પણ પ્રધાનમંત્રીના અને ઇન્ડિયન એરફોર્સના ભરપૂર વખાણ કર્યા છે.

ચાલો જાણીએ શું કહે છે બોલિવૂડના સિતારાઓ