દીકરાએ કરાવ્યા પોતાના પિતાના બીજા લગ્ન, કારણ જાણીને ગળગળા થઈ જશો

એક માણસ ૪૫ વર્ષનો હતો ત્યારે તેની પત્ની નો સ્વર્ગવાસ થઈ ગયો, આથી લોકોએ તેને બીજા લગ્ન કરી લેવાની સલાહ આપી.

એટલું જ નહીં દરેક સગા-સંબંધીઓએ કહ્યું કે તારે બીજા લગ્ન કરી લેવા જોઈએ. અને દરેક લોકોએ તેને સમજાવવાની કોશિશ પણ કરી.

પરંતુ પેલા માણસે જ્યારે પણ કોઈ કહે ત્યારે એ વાત કહી ને આ વાત ને ટાળી દેતો કે તેની જિંદગીમાં પત્ની ની ભેટ સ્વરૂપે તેનો પુત્ર છે, એની સાથે જિંદગી આસાનીથી વીતી જશે.

ધીમે ધીમે સમય વીતતો ગયો, પુત્ર પણ મોટો થતો ગયો.

જ્યારે પુત્ર વ્યસ્ત થઇ ગયો ત્યારે તેને આંખો કારોબાર પોતાના પુત્ર ના હવાલે કરી દીધો, અને પોતે રિટાયર્ડ લાઈફ જીવવા લાગ્યા. એટલે કે ક્યારેક ક્યારેક પોતાની તો ક્યારેક ક્યારેક મિત્રો ની ઓફિસે બેસી ને સમય વિતાવવા લાગ્યા.

ધીમે ધીમે પુત્ર લગ્ન કરવા લાયક થવાથી તેના લગ્ન વિશે વિચાર્યું, એટલું જ નહીં પરંતુ પોતાના પુત્રના ધામ-ધૂમ થી લગ્ન પણ કરાવ્યા.

લગ્ન પછી તે વધારે પડતા નિશ્ચિત થઈ ગયા અને આખું ઘર વહુને સોંપી દીધું.

ધીમે ધીમે પોતે બધી જવાબદારીઓમાંથી મુક્ત થઈને આ રામનું જીવન જીવવાની કોશિશ કરી રહ્યા હતા.

એક વખત પુત્રના લગ્ન થયા પછી આશરે એક વર્ષ પછી બધા બપોરે જમવાનું જમી રહ્યા હતા, અને તેનો પુત્ર પણ લંચ કરવા માટે ઓફિસેથી આવી ગયો હતો અને હાથ મોઢું ધોઈને ખાવાની તૈયારી કરી રહ્યો હતો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts