દીકરી ની વિદાય વખતે પિતા સૌથી છેલ્લે રડે છે, કારણ કે…

મા અને દીકરી ના સંબંધ વિશે તો વાત થતી જ હોય છે, અને લગભગ દરેક લોકો જાણતા પણ હોય છે. પણ પરંતુ પિતા અને દીકરી નો સંબંધ પણ દરિયા કરતાં પણ વધારે ઊંડો છે. કોઈપણ પિતા દરેક ઘરના દીકરાને ભલે વટ તો હશે, ખીજાતો હશે. પરંતુ એ જ બાપ જ્યારે દિકરી ની વાત આવે ત્યારે પોતાની દીકરીની દરેક નાની-નાની ફરમાઈશ પણ પૂરી કરે છે, અને તેના દીકરીની ખોટી જીદ પણ નજર અંદાજ કરી દે છે. દીકરો કંઈક માંગે તો તે દીકરાને ના પાડી શકે છે.

પરંતુ જ્યારે દીકરી કંઈક પિતા પાસે માંગે છે, તો તે ગમે તેમ કરીને દીકરીની ઈચ્છા પૂરી કરે છે. ભલે પછી દુનિયા તે પિતાનું બધુ લૂંટી લેતો પણ તે હાર માનતો નથી. અને પોતાની જ દીકરી ના આંખમાં આંસુ જોઈને જે પોતે અંદરથી તૂટી જાય છે એને જ પિતા કહેવાય છે.

અને દીકરીનું પણ આવું જ છે તે જ્યારે ઘરમાં રહે છે ત્યારે તેને કોઈ પણ વાતમાં પોતાના પિતાનું ઘમંડ હોય છે કે જો કોઈએ કંઈ કહ્યું તો તે તરત જ જવાબ આપતા કહી દે છે કે પપ્પાને આવવા દો, હું પછી જણાવું છું. ભલે દીકરી ઘરમાં રહે છે પોતાની માતા સાથે અને તેના પરિવાર સાથે પરંતુ દીકરીને હિંમત હંમેશા માટે તેના પિતા હોય છે.

જ્યારે લગ્નમાં વિદાય થાય છે ત્યારે દીકરી દરેકને મળી ને રડે છે, પરંતુ પોતાના પિતાને એવી રીતે કસીને પકડી લે છે જેવી રીતે માતા પોતાના દીકરાને ભેટી પડે, કારણકે એ દીકરીને એ વાતની ખબર છે કે એ પિતા જ છે જેને ગમે તેવા સંજોગોમાં ગમે તેવા સમયમાં મારી દરેક ફરમાઈશ ને પૂરી કરી હતી, એજ સમયે પિતા પોતે પણ રડી લે છે. અને પછી દીકરીને હિંમત પણ આપે છે કે આપણે મળતા રહીશું, દીકરીને હિંમત વધારે ન ટૂટે એટલા માટે પિતા થોડું જ રડે છે, પછી ક્યાંક ખૂણામાં જઈને ધ્રુસકે ને ધ્રુસકે રડી લે છે. અને આ વાત દીકરીના પિતા સારી રીતે સમજી શકે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts