એક માણસ દરરોજ દુકાનમાં કામ કરતી વખતે ભગવાનના ભજનનું સ્મરણ કરતો, પરંતુ એક દિવસ અચાનક એવું થયું કે તેની દુકાનના બધા ગ્રાહકો…

એક ગામડામાં એક ખૂબ જ પૈસાદાર શેઠ રહેતા હતા. શેઠ પાસે એટલો બધો પૈસો હતો કે તેને જીવનમાં કોઈપણ પ્રકારની ખામી ન હતી. તેઓ એક સુંદર મજાના બંગલામાં રહેતા હતા એ બંગલાની બાજુમાં જ એક નાનકડી દુકાન હતી તેના બંગલા પાસે જ એક દુકાન હતી. આ દુકાન વર્ષો જૂની હતી અને વર્ષોથી એક માણસ આ દુકાનમાં બેસી ને કપડા સીવવાનું કામ કરતો.

એ માણસને એક ખાસ ટેવ હતી કે એ જ્યારે પણ કપડા સીવવાનું કામ કરતો ત્યારે તે ભગવાન ના ભજન પણ સાથે સાથે ગાતો. પરંતુ પહેલા ધનવાન શેઠ નું આ બાજુ કોઈ દિવસ ધ્યાન પડ્યું નહીં.

એક દિવસ શેઠને વેપારના કામથી વિદેશમાં જવાનું થયું, શેઠ વિદેશ ગયા વેપાર ધંધા નું કામ પૂરું કરીને શેઠ ત્યાંથી પાછા ફર્યા પરંતુ પાછા ફરીને ઘરે આવ્યા કે તરત જ તેઓની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ.

તેઓની તબીયત દિવસેને દિવસે ખૂબ જ ખરાબ થતી જતી હતી પરંતુ શેઠ પાસે પૈસાની કોઈ ખામી ન હોવાથી દેશ-વિદેશમાંથી ડોક્ટર વૈધ અનેકને બોલાવવામાં આવ્યા પરંતુ કોઈ ડોક્ટર શેઠનો ઈલાજ ન કરી શક્યો. શેઠને બીમારી જ એવી હતી કે ડોક્ટરોએ કહ્યું કે આ બીમારી નો કોઈ ઈલાજ નથી. શેઠ ની તબિયત હવે દિવસે ને દિવસે ખરાબ થતી જતી હતી. અને તેઓ માત્ર આરામ જ કરી રહ્યા હતા કારણ કે તેઓ થી હલનચલન પણ થતું નહીં.

એક દિવસ શેઠ આરામ કરી રહ્યા હતા એવામાં તેને ધીમો ધીમો ભજન નો અવાજ સંભળાયો, આ વાત કપડાં સીવી રહેલા માણસનો આવતો હતો.

શેઠને આ અવાજ પસંદ પડ્યો એટલે તેને નોકરને બોલાવીને પોતાના પલંગ ને થોડું બારી પાસે લઈ જવાનું કહ્યું કારણકે બારીમાંથી નજીકમાં જ રહેલી દુકાનમાંથી કપડાં સીવી રહેલા માણસનો અવાજ વધુ આવી શકે.

દરરોજ તો તેઓને આ માણસ ના ભજન સંભળાતા પરંતુ શેઠે કોઈ દિવસ આ માણસ પ્રત્યે વિશેષ ધ્યાન ન આપ્યું હતું. પરંતુ આજે તેને આ ભજન સારા લાગી રહ્યા હતા થોડા સમયમાં તો શેઠ ભજન સાંભળી ને એટલા મંત્રમુગ્ધ થઈ ગયા કે જાણે તેઓ સાક્ષાત્ ભગવાનને મળી રહ્યા હોય. મામૂલી કપડા શિવનારાના ભજન સાંભળીને તેની બીમારી ધીમે ધીમે દૂર થવા લાગી કારણ કે શેઠ તેના મનમાં ભૂલી ગયા કે તેઓ પોતે બીમાર છે અને ભજન સાંભળી તેઓને અત્યંત ખુશી મળતી.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts