એક માણસ દરરોજ દુકાનમાં કામ કરતી વખતે ભગવાનના ભજનનું સ્મરણ કરતો, પરંતુ એક દિવસ અચાનક એવું થયું કે તેની દુકાનના બધા ગ્રાહકો…

થોડા દિવસ સુધી તો આજ કાર્યક્રમ દરરોજ ચાલતો રહ્યો હવે ધીમે ધીમે શેઠની તબિયતમાં પણ ફેર પડવા લાગ્યો એક દિવસ તેને તે કારીગર ને બોલાવ્યો અને કહ્યું મારી બીમારી નો ઈલાજ મોટા મોટા ડોક્ટર નથી કરી શક્યા પરંતુ તારા ભજન ને કારણે મારી તબિયતમાં ઘણો સુધારો થયો છે એટલા માટે હું તને ઇનામ આપવા માંગું છું. આલે 5000 રૂપિયા.

કપડાં સીવવા વાળો તો 5000 રૂપિયા મળતા એકદમ ખુશ થઈ ગયો અને પૈસા લઈને તે જતો રહ્યો, એ રાત્રિના તેને ઊંઘ ન આવી કારણ કે તે આખી રાત્રી એ જ વિચારતો રહ્યો કે આટલા બધા પૈસા ક્યાં છુપાવીને રાખીશ અને આ પૈસાથી હું શું શું ખરીદી શકું છું અને હું શું ખરીદવા માંગુ છું?

આ જ વિચારમાં તે માણસ એટલો બધો પરેશાન થવા લાગ્યો કે તેને આખી રાત ઊંઘ ન આવી અને એટલા માટે જ તે બીજે દિવસે કામ પર પણ ન જઈ શક્યો. તેને પૈસાનું મહત્વ એટલું બધું વધી ગયું કે હવે તો જાણે તે ભજન ગાવાનું ભૂલી ગયો હતો, મનમાં તેને પૈસાની ખુશી હતી. અને તેને શેઠે પૈસા આપ્યા હતા એ પૈસાની કિંમત પણ એ સમયમાં ખૂબ જ વધારે હોવાથી તેને કામ પર જવાનું જ બંધ કરી દીધું. ઘણા દિવસો સુધી તેની દુકાન બંધ રહેવાને કારણે તેને દુકાનદારી પણ જાણે વિખરાવા લાગી. અને શેઠ ની બીમારી વધુ વધતી જઈ રહી હતી. અને તેની દુકાન ઘણા બધા દિવસો સુધી બંધ રહેવાથી તેના બધા ગ્રાહકો એ તેની દુકાને જવાનું બંધ કરી દીધું.

એક દિવસ અચાનક કપડાં સિવવાવાળો કારીગર શેઠ ના ઘરે આવે છે અને શેઠને બંગલામાં પ્રવેશી ને તરત જ કહે છે તમે આ તમારા પૈસા પાછા રાખી લો, આ પૈસાને કારણે મારી ઊંઘ બગડી ગઈ છે તેમજ મારો ધંધો પણ જાણે વિખરાઈ ગયો છે અને હું ભજન ગાવાનું તો જાણે ભૂલી જ ગયો છું. આ પૈસા એ તો મારો મારા ભગવાન સાથે નાતો જ તોડી નાખ્યો. આટલું કહીને તે માણસ શેઠ ને પૈસા આપીને ત્યાંથી જતો રહ્યો ફરી પાછો પોતાના કામમાં લાગી ગયો.

આ એક માત્ર સ્ટોરી જ નહીં પરંતુ એક શીખ છે કે આપણે કઈ રીતે પૈસાની લાલચમાં આવીને લોકોથી આપણા પોતાનાથી દૂર જતા રહીએ છીએ અને અમુક સમયે તો આપણને એ પણ ભુલાઈ જાય છે કે એવી પણ કોઈ શક્તિ છે જેને આપણને બનાવ્યા છે.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને ખાસ કરીને કોમેન્ટમાં રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts