જમીનદારે ખેડુતને પૈસા આપ્યા હતા એના બદલામાં એવી માંગણી કરી કે ખેડુત અને તેની દિકરી બંને સાંભળીને…

પંચાયતના આદેશ અનુસાર જમીનદાર પથ્થરના ઢગલા પાસે જઈને થોડો વાંકો વળીને થેલીમાં બે પથ્થર નાખ્યા. જ્યારે તે પથ્થર લેવા માટે વાંકો વળ્યો ત્યારે ખૂબ જ તેજ નજર વાળી ખેડૂત ની દીકરીએ જોઈ લીધું હતું કે એ જમીનદારે બંને પથ્થર કાળા જ ઉપાડ્યા છે. અને પથ્થર ઉપાડી ને તરત જ તેને થેલી માં નાખી દીધા. અને એ થેલીને ત્યાં જ બાજુમાં રાખી દીધી.

આ સ્થિતિ દીકરી સામે આવી એટલે તે ગભરાયા વગર વિચારવા લાગી કે હવે તે શું કરી શકે છે?, દીકરી સામે હવે ત્રણ રસ્તા તેને નજરે આવી રહ્યા હતા જો તે પથ્થર ઉપાડવાની ના પાડી દે તો તેના પિતાને જેલ હવાલે કરવામાં આવે. બીજુ તે બધા લોકોને સાચી હકીકત જણાવી દે કે જમીનદાર થેલીમાં બંને પથ્થર કાળા નાખીને દગો કર્યો છે. અને ત્રીજા ઉપાય તરીકે એ કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ કાળો પત્થર ઉઠાવી લે અને પોતાના પિતાને દેવામાંથી બચાવવા માટે એ જમીનદાર સાથે અનિચ્છાએ પણ લગ્ન કરીને પોતાના જીવનનું બલિદાન આપી દે.

આ બધા રસ્તાઓમાંથી તેને શું કરવું તે વિચાર કરી રહી હતી. અંતે તે દીકરી એવો વિચાર કર્યો કે તે બધા માણસોની વચ્ચે એ જમીનદારને ખોટો સાબિત કરશે અને બધાને જણાવશે કે જમીનદાર એ તેની સાથે દગો કર્યો છે. કારણકે જમીનદારે જાણીજોઈને તે થેલીમાં બંને માત્ર કાળા પથ્થર જ નાખ્યા હતા. તે હજુ બોલવા માટે આગળ વધી રહી હતી ત્યાં જ તેને અચાનક એક નવી યુક્તિ સુજી.

તે પથ્થર ઉપાડવા માટે આંખે પાટો બાંધવો લાગી અને તે થેલી પાસે ગઈ, થેલી પાસે જઈને પોતાનો એક હાથ અંદર નાખીને તેમાં થી એક પત્થર એના હાથમાં લીધો. એના હાથમાં રહેલો પથ્થર તેની મુઠ્ઠીમાં હતો, હજુ એ પથ્થર નો કલર કયો છે તે જોવા માટે તે મુઠ્ઠી ખોલે તે પહેલાં જ તે દીકરી એ એવું નાટક કર્યું કે તે પડી ગઈ. હવે તેના હાથમાં રહેલો પથ્થર ત્યાં પડેલા અસંખ્ય પથ્થરો સાથે ભેગો થઈ ગયો, એ પથ્થર હવે મળવો શક્ય જ નહોતો.

એટલે તે દીકરી એ પછી આંખે પાટો ખોલી અને જણાવ્યું કે હું પણ કેવી લાપરવાહ છું, મને દેખાયું નહીં અને હું પડી ગઈ. પરંતુ વાંધો નહીં, તમે લોકો પેલી થેલીમાં જોઈ લો કે કયો પથ્થર તે થેલીમાં હવે પડ્યો છે? બીજો પથ્થર જોઇને ખબર પડી જશે કે મેં ક્યા કલરનો પથ્થર ઉપાડ્યો હતો.

થેલીમાં પહેલેથી જ કાળા કલરનો પથ્થર હાજર હતો. પંચાયત સહિત ત્યાં હાજર રહેલા બધા લોકોએ માની લીધું કે દીકરીએ સફેદ પથ્થર જ ઉપાડ્યો હતો. અને ત્યાં હાજર રહેલા જમીનદાર માં એવી હિંમત હતી જ નહીં કે તે પોતાની ચોરીને કબૂલ કરી લે, એક તેજ દિમાગ ધરાવતી દીકરીએ પોતાના વિચારથી અસંભવને પણ સંભવ બનાવી દીધું.

ભલે આ વાર્તા કાલ્પનિક જ હશે, પરંતુ આપણા જીવનમાં પણ અવારનવાર એવી પરિસ્થિતિઓ આવે છે જ્યારે આપણને આજુબાજુમાં બધું ધૂંધળું દેખાવા લાગે છે. આપણને એમ જ લાગ્યા કરે છે કે દરેક રસ્તો હવે અસફળતા તરફ લઇ જશે. આપણે જો એવા સમયમાં આપણું ધૈર્ય તેમજ ગભરાયા વગર તો શાંતિપૂર્ણ રીતે વિચાર કરીએ તો કોઈપણ સમસ્યાનો હલ મળી જાય છે. અને આપણે આપણી રીતે જ મુશ્કેલીઓને દૂર કરી શકીએ છીએ.

કોઈએ ખુબ સુંદર કહ્યું છે કે જો તમે તમારી ટેવ બદલો તો તમારી જિંદગી પણ બદલી શકે છે, અને જો એવું ન બદલી શકો તો જિંદગીમાં એ જ થતું આવે જે પહેલેથી થતું આવ્યું છે.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરી અને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts