કિડની બચશે તો જીવન બચશે, માટે આજથી જ છોડી દો આ 5 કુટેવો

આપણા માનવ શરીર ની જટિલ રચનામાં ઘણા ભાગ એવા છે જેનું મહત્વ ખૂબ વધારે છે. કારણ કે આ ભાગ ખરાબ થવાથી આપણા જીવનમાં તો તકલીફ પડે જ છે પરંતુ આપણા આયુષ્યને પણ અસર કરે છે, એમાંનો એક ભાગ ની વાત કરીએ તો એ છે કિડની. આપણા શરીરમાં બધાને ખબર હશે કે બે કિડની આવેલી હોય છે.

કિડનીનું કામ શું છે?

કિડની એક ફિલ્ટર તરીકેનું કામ કરે છે, જે આપણા શરીરને સાફ કરે છે તેમજ આપણા શરીર મિનરલ નું નિર્માણ કરે છે, આપણા શરીરમાં યુરિનનું કંટ્રોલ સંપૂર્ણપણે કિડની થી થાય છે. તેમજ શરીરમાંથી બિનજરૂરી ટોક્સિનને કાઢવાનું કામ પણ kidney જ કરે છે. એક કિડનીમાં ઓછામાં ઓછી વાત કરીએ તો દસ લાખ જેટલા ફિલ્ટર લાગેલા હોય છે. જો આપણા શરીરમાં કિડની ગમે ત્યારે કામ કરવાનું બંધ કરી દે તો આપણા શરીરમાં યુરિયા તેમ જ ક્રીએટીનીન જમા થવા લાગે છે. આ સિવાય એસિડનું કામ પણ કરે છે.

આ થઇ કિડનીના કામની વાતો, હવે આપણી ટેવ-કુટેવ ની વાત કરીએ તો આજના દરેક માનવી નો ખોરાક પહેલાના માનવી કરતાં સંપૂર્ણપણે અલગ થઈ ગયો છે. આપણા ખાવા-પીવાની શૈલી, આપણું સ્ટ્રેસફુલ જીવન અને આસપાસના વાતાવરણ ને હિસાબે શરીર પર સ્વાસ્થ્યમાં ગંભીર અસર પડી શકે છે. અને માટે જ ઘણી વખત ડાયાલીસીસ કરવાની સલાહ આપે છે. પરંતુ જો અમુક ટેવ સારી રાખીએ તો આવા ગંભીર સંજોગોમાં આપણે જતા અટકાવી શકીએ છીએ.

કિડનીના કામથી તમને એ તો ખબર પડી ગઈ હશે કે કિડની આપણા શરીરનું કેટલુ મહત્વપૂર્ણ અંગ છે. ધન્યવાદ આજની ટેકનોલોજી ને કે હવે કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ શક્ય છે અને વધારે પડતાં પ્રોબ્લેમ ના હિસાબે કિડની લોકો બદલાવી પણ શકે છે. પરંતુ જણાવી દઈએ કે કિડની ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ ઓ હજારોમાં નહિ પરંતુ લાખો માં થાય છે. અને દરેક પરિવાર આ ખર્ચો ભોગવે એટલો સક્ષમ હોતો નથી. માટે જ આજે અમે એવી વાતો જણાવવાના છીએ જે જો તમે જીવનમાં ઉતારી લો તો કિડની ફેલ થતી બચી શકે છે!

ખાવામાં જો આપણે વધુ મીઠાનો ઉપયોગ કરીએ છીએ તો યુરીન માંથી પ્રોટીન નીકળવાનો પ્રોબ્લેમ થઈ શકે છે જેનાથી કિડનીમાં ગંભીર અસર પડી શકે છે. આથી ખાવામાં હંમેશા મીઠાનો ઉપયોગ બને તેટલો ઓછો રાખવો, આ સિવાય આ પણ વાંચજો:.વધારે પડતું મીઠું ખાવાથી હૃદયરોગ સહિત આવા આવા નુકસાન થઈ શકે છે

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts