કલમ 370 હટાવ્યા પછી ગભરાઈ ગયેલા પાકિસ્તાને લઈ લીધો આવો નિર્ણય, ભારત સાથે તોડી નાખ્યા…

જમ્મુ-કાશ્મીરમાં ધારા 370 હટાવી લીધા પછી પાકિસ્તાન જાણે ધુંઆપુંઆ થઇ રહ્યું છે, ગભરાઈ ગયેલા પાકિસ્તાને હવે નિર્ણયો લેવાનું ચાલુ કર્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક કર્યા પછી પાકિસ્તાને નિર્ણય લઇને ભારત સાથે દ્વિપક્ષીય વેપાર ઉપર રોક લગાવી દીધી છે. આની સાથે પાકિસ્તાન ભારત સાથે બધા વ્યાપારિક સંબંધો તોડી નાખ્યા છે. એમ જ પાકિસ્તાન હવે ભારત સાથે દ્વિપક્ષીય એગ્રીમેન્ટ ની પણ સમીક્ષા કરશે. સાથે સાથે કાશ્મીર મામલે તેઓ UN જવાની પણ પાકિસ્તાનને ધમકી આપી છે.

ન્યુઝ એજન્સી અનુસાર પાકિસ્તાને ભારતના રાજદૂત ને પણ નિષ્કાસિત કરી નાખ્યા છે.

જણાવી દઈએ કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી કાર્લા કાર્યાલયમાં નેશનલ સિક્યુરિટી કમિટીની બેઠક થઈ હતી જેમાં આર્ટીકલ 370 ને હટાવવા ના વિરોધમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન નેશનલ સિક્યુરિટી કમિટીએ આ બેઠકમાં બીજા પણ નિર્ણયો લીધા હતા.

જેમાં ભારતની સાથે ડિપ્લોમેટિક સંબંધોને ઓછા કરવા, દ્વિપક્ષીય વ્યાપાર ના સંબંધોને ખતમ કરવાનું અને દ્વિપક્ષીય વ્યવસ્થાઓ ની સમીક્ષા કરવાનું મોજુદ છે. અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાન સરકાર ભારતમાં પોતાના ઉચ્ચાયુક્ત ને ન મોકલવાનો નિર્ણય કરી શકે છે, જેનો આ મહિને ચાર્જ લેવાનો હતો. આ સિવાય ભારત ના ઉચાયુક્ત કે જેવો પાકિસ્તાનમાં છે તેને પણ પાકિસ્તાન છોડવા માટે કહેવામાં આવી શકે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts