લગ્નજીવનમાં ઝઘડા ન થવા દેવા હોય તો આ વાંચી લેજો અને તમારા પાર્ટનરને પણ વંચાવજો…

ઘરમાં આવતા જ તેની પત્નીએ કહ્યું તમે બાજુવાળા ને ત્યાં શું જોઈ આવ્યા ??? તે શાંતિ થી અને પ્રેમ થી રહે છે તેનું શું કારણ છે ? ત્યારે તેના પતિ એ જવાબ આપતા કહ્યું કે આપણામાં અને તેના માં ફરક માત્ર એટલો છે કે આપણે બધા હંમેશા આપણને પોતાને જ સાચા સાબિત કરવાની કોશિશ કરીએ છીએ.

અને બધી ભૂલ માટે સામે વાળા ને ખોટા પાડવાની કોશિશ કરી એ છીએ અને તેના કારણે વાત વાત માં ઝગડા કરીયે છીએ કારણ કે આપણને ભૂલ સામાવાળા ની જ દેખાય છે આમ ને આમ આપણે બધા અભિમાની થઈ ગયા છીએ પરિવારમાં સુખી અને શાંતિપૂર્વક સંબંધો રાખવા માટે ખાસ જરૂરી છે.

આપણું વ્યક્તિગત અભિમાનનો ત્યાગ કરીને આપણી જવાબદારી થી વર્તન કરવું એક બીજા પર દોષ ઢોળી દેવાને બદલે આપણો દોષ હોય તે સુધારવો નહીંતર કજિયા કંકાસ આપણા ઘર માં રહેવાના જ છે અને સંબંધ લાગણી શૂન્ય થઇ જાય છે પરિવાર માં એક ની જીત એ બધા ની જીત હોય છે.

અને આપણે પરિવાર વાળા ને હરાવવા ની કોશિશ કરીયે તે બધાની હાર હોય છે. પરિવાર ને તોડવા માટે નહિ પણ પરિવાર ને જોડવા માટે જીવન જીવવું જોઈએ આટલી વાત સમજાઈ જાય તો આપનો પરિવાર પણ ખુશી અને પ્રેમ પૂર્વક રહી શકે અને ધારી સફળતા મેળવી અને પ્રગતિ કરી શકે.

માટે કાયમ પ્રસન્ન રહો ખુશ રહો અને બધા ને ખુશ કરો સ્વર્ગ નું સુખ પણ અહીંયા જ છે અને કજિયા કંકાસ પણ અહીંયા જ છે પસંદગી આપણી છે આપણે શું પસંદ કરીયે છીએ.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts