સ્વર્ગ અને નરક માં શું ફેર છે? આ વાંચી લો એટલે સમજાય જશે

એક વખત એક ઘરડા માજી મૃત્યુ પામ્યા, તેથી યમરાજ તેને લેવા આવ્યા.

માજીએ યમરાજને પૂછ્યું કે તમે મને સ્વર્ગ લઈ જશો કે નરકમાં?

યમરાજે જવાબ આપ્યો કે બેમાંથી ક્યાંય પણ નહીં તમે તમારા જીવનકાળમાં ખૂબ જ સારાં કર્મ કર્યા હોવાથી હું તમને સીધો પ્રભુના ધામમાં લઈ જાવ છું.

ત્યારે માજી યમરાજ સામે એક વિનંતી કરી કે મેં અહીં ધરતી ઉપર ઘણી સ્વર્ગ તેમજ નરક ની વાતો સાંભળી છે તો મારી ઈચ્છા છે કે હું એ બંને જગ્યા ને એક વખત જોઈ શકું.

યમરાજે કીધુ કે તમારા કર્મ સારા હોવાથી તમારી આ ઈચ્છા પણ હું પૂરી કરીશ, માટે હવે આપણે સ્વર્ગ તેમ જ નરક ના રસ્તા પર થઈને પ્રભુના ધામમાં જસુ.

એમ કહી બંને ચાલી નીકળ્યા અને સૌથી પહેલા નરક આવ્યું, નરકમાં ઘરડા માજી ને જોરજોરથી લોકો નો રોવાનો અવાજ આવવા લાગ્યો. આથી ઘરડા માજી નરકમાં રહેલા એક માણસને પૂછ્યું કે તમારા લોકોની હાલત આવી શુ કામ છે ત્યારે પેલા માણસે જવાબ આપ્યો કે અમે અહીં આવ્યા પછી એક દિવસ પણ કંઈ જમ્યા નથી, આથી અમારા બધાની હાલત આવી છે. ભૂખના કારણે અમારી આત્મા તડપી રહી છે.

એટલામાં માજી ની નજર એક જબરા વિશાળ વાસણ પર પડી જે લગભગ 200 ફૂટ જેટલું ઊંચું હશે, એ વાસણ ઉપર 1 મોટી ચમચી લટકાયેલી હતી. એ વાસણમાંથી ખૂબ સારી સુગંધ આવી રહી હતી એટલે માજી એ પેલા માણસને પૂછ્યું કે આ વાસણમાં શું છે.? માણસે માયુસ થઈને જવાબ આપ્યો કે આ વાસણમાં કાયમ સ્વાદિષ્ટ ખીર હોય છે. તેથી માજીએ પૂછ્યું કે તો તમે લોકો ખાતા કેમ નથી? ત્યારે માણસે જવાબ આપ્યો કે કઈ રીતે ખાઈએ? આ વાસણ 200 ફૂટ ઊંચું છે અને અમારામાંથી કોઈ એ વાસણ સુધી પહોંચી શકતો નથી.

આ વાત સાંભળીને માજીએ અંદરોઅંદર વિચાર્યું કે ખીર નું આખું વાસણ ભરેલું હોવા છતાં આ લોકો ભૂખથી બેહાલ છે. કદાચ ભગવાને તેને આ જ સજા આપી હશે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts