પુલવામામાં શહીદ જવાનોના બાળકો ના ભણતર, નોકરી અને ઘરખર્ચ ઉપાડશે મુકેશ અંબાણી

ગુરૂવારે થયેલા હુમલામાં આપણા CRPFના 40 જવાનો શહીદ થયા હતા. ત્યાર પછી આખા દેશમાં દુઃખ પણ છવાયું હતું અને લોકોમાં આક્રોશ પણ ઉત્પન્ન થયો છે. સોશિયલ મીડિયામાં લગભગ દરેક લોકો હવે આ હુમલાના બદલાની માંગ કરી રહ્યા છે.

એવામાં સારા સમાચાર એ છે કે રિલાયન્સ ફાઉન્ડેશન એ પુલવામામાં શહીદ થયેલા CRPF ના જવાનો પ્રત્યે કૃતજ્ઞતા દાખવતા નિર્ણય લીધો હતો કે તેના બાળકોના ભણતર થી માંડીને નોકરી ની પૂરી જવાબદારી તેઓ ઉપાડશે. આ ઘોષણા તેઓએ કરી હતી.

આ સાથે રિલાયન્સ એ કહ્યું હતું કે રિલાયન્સ ફાઉન્ડેશન શહીદ થયેલા પરિવારોના ઘરખર્ચની પૂરી જવાબદારી લેવા પણ તૈયાર છે. તેઓએ પોતાની પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે જમ્મુ-શ્રીનગર હાઇવે પર સીઆરપીએફના કાફલા ઉપર થયેલા બર્બરતાપૂર્વક ના હમલા ને લઈને ભારતના 1.3 અરબ લોકો સાથે રિલાયન્સ પરિવાર પણ આક્રોશમાં છે.

તેઓએ આગળ કહ્યું હતું કે દુનિયાની કોઈપણ ખરાબ તાકાત એવી નથી જે ભારતની એકતાને તોડી શકે. રાષ્ટ્રીય શોક ની આ ઘડીમાં એક નાગરિક ના રૂપમાં અને સાથે એક કોર્પોરેટ નાગરિકના રૂપમાં અમે બધી રીતે આપણી સશસ્ત્ર સેના અને આપણી સરકાર ના સાથે છીએ.

તેઓએ આગળ જણાવ્યું હતું કે શહીદો પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરતા રિલાયન્સ ફાઉન્ડેશન તેના બાળકો ના ભણતર અને રોજગાર, તેમજ તેના ઘર ખર્ચની જવાબદારી ઉઠાવવા માટે તૈયાર છે. અને જો જરૂર પડી તોઅમારી હોસ્પિટલો ઘાયલ થયેલા જવાનોને બેસ્ટ સારવાર આપવા માટે તૈયાર અને તત્પર છે.

આ સહિત તેઓએ ઉમેર્યું હતું કે જો સરકાર તેને કોઈ બીજી જવાબદારી આપે તો તેઓ તે પણ ઉઠાવવા તૈયાર છે.

Read more

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team