રાત્રે ભૂલથી પણ ન કરતા આ ભૂલ, ઝડપથી વધશે મેદસ્વિતા

મેદસ્વિતા એ દરેકની પરેશાની બની ગઈ છે. ભારત સિવાય પણ બીજા દેશોમાં પણ મેદસ્વિતા એ ખરેખર ગંભીર મુદ્દો બની ગઈ છે. કારણકે લોકોની વયમર્યાદા અને સ્વાસ્થ્યને સીધી અસર પાડતી મેદસ્વીતા ને કંટ્રોલ કરવી ખરેખર મુશ્કેલ થઈ ગઈ છે. પરંતુ અમુક વસ્તુ તેમજ અમુક ટેવ સુધારવામાં આવે અને નિયમિત પણે તમે કસરત કરતા રહો તો મેદસ્વિતા નિયંત્રણમાં રાખી શકાય છે.

અને મેદસ્વિતાને કારણે માત્ર શરીરમાં જ નહિ પરંતુ સ્વાસ્થ્યમાં પણ હાનિકારક અસર પડે છે. માત્ર જીમમાં પરસેવો પાડો અને કલાકો સુધી કસરત કરો એનાથી મેદસ્વિતાને નથી કરી શકાતી પરંતુ અમુક કુટેવો પણ સુધારવી પડે છે. આપણે રાત્રિના સુતા પહેલા અમુક એવી ભૂલો કરી નાખીએ છીએ જે ના હિસાબે આપણે જ મેદસ્વિતાને પ્રોત્સાહન આપીએ છીએ, જાણો અને શેર કરજો

આપણામાંથી ઘણા લોકો એવું માનતા હશે કે રાત્રીના ડિનર ન કરીએ તો શરીર નું વજન ઘટાડી શકાય છે અને આમ સમજીને તેઓ રાત્રીના કંઈ ખાતા જ નથી. પરંતુ જણાવી દઈએ કે જ્યારે આપણે રાતના નથી હોતા ત્યારે આપણા શરીરનું મેટાબોલિઝમ ધીમું પડી જાય છે અને સવારે ભૂખ વધુ લાગે છે, વધુ ભૂખ લાગવાને કારણે સ્વાભાવિક રીતે આપણે વધુ ખાઈએ છીએ. જેનાથી વજન ની ખરાબ અસર થઈ શકે છે, આથી જો રાત્રીના ભોજન કરવાની ઈચ્છા ન હોય તો સલાડ કે ફ્રુટ ખાઈ લેવું જોઈએ.

રાતના સમયે ઉપર જણાવ્યું તે પ્રમાણે આપણું પાચનતંત્ર ધીમે કામ કરે છે, કારણકે આપણા શરીરમાં પાચનની પ્રક્રિયા એટલી ગતિશીલ નથી થતી હોતી જેટલી આપણે જાગતા હોય ત્યારે થાય છે. જ્યારે આપણું શરીર નું પાચન તંત્ર ધીમુ હોય અને તમે રાત્રિના સમયે જો જરૂરત કરતા વધારે ખોરાક ખાઈ લો તો જોઈએ તેટલી કેલરી મળતી નથી અને જે ચરબીમાં પરિણામે છે. આથી રાતના ખાવા સમયે ધ્યાન રાખવું જોઈએ કે તમે કેટલો ખોરાક લો છો, બને ત્યાં સુધી ટીવી જોતા જોતા ખાવાનું ટાળવું જોઇએ કારણ કે ટીવી માં ધ્યાન હોવાથી આપણે કેટલો ખોરાક લઈ રહ્યા છીએ એનું ધ્યાન રહેતું નથી.

જે લોકો રાત્રીના સમયે જમવામાં કાર્બોહાઈડ્રેટ યુક્ત ખોરાક જેમકે પાસ્તા, પીઝા અને અધિક કેલરીવાળો ખોરાક ખાય, તેઓ ની ચરબી ઝડપથી વધે છે. આથી જો મેદસ્વિતાથી બતો રાતના આ રીતના કોઈ દિવસ જમવું જોઈએ નહીં, રાત્રિના સમયે હંમેશા પ્રોટીનવાળા ખોરાકનું સેવન કરવું જોઈએ. તેમાં ફ્રુટ, શાકભાજી અને ફળ ખાઈ શકાય.

અત્યારે મોટાભાગના લોકો પોતાની જીંદગી માં એટલા વ્યસ્ત હોય છે કે ઘણી વખત તેને જમવાનો પણ ટાઈમ મળતો નથી. ઘણી વખત આપણે ઓફિસથી મોડા આવવાને લીધે રાત્રિના જમ્યા બાદ તરત સૂઈ જઈએ છીએ પરંતુ આવો કોઈ દિવસ કરવું જોઈએ નહીં કારણ કે આવું કરવાથી પણ પેટની ચરબી અને શરીર ની મેદસ્વીતા વધે છે. સુતા પહેલાં 3 થી 4 કલાક વહેલું ડિનર કરી લેવું જોઈએ. જેમકે તમે 08:00 ડિનર કરી લો તો 11:00 વાગે સુઈ શકો છો.

ઘણા લોકો રાત્રીના સમયે કોફી પીવાના શોખીન હોય છે, જે નિંદ્રા ની સમસ્યા માં પરિણમી શકે છે. આ સિવાય કોફી માં રહેલી કેલરી વજન વધારવાનું પણ કામ કરે છે. આથી કેફિનયુક્ત ખોરાકની જગ્યાએ ગ્રીન ટી પીવી હિતાવહ છે, આ સિવાય ઘણા લોકો રાત્રિના મીઠું તેમજ આઈસ્ક્રીમ ખાવાનો બહુ પસંદ કરે છે કે જે હકીકત એ શરીરને નુકસાન પહોંચાડી શકે છે. કારણકે આવું કરવાથી શરીરમાં ચરબી વધે છે. એની જગ્યા પર તમે ફ્રુટ સલાટ નો આનંદ માણી શકો છો.

Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team