દરેક ઉંમરના લોકો આ વાંચજો, સમજજો અને જીવનમાં ઉતારજો

એક વખત એક ભાઈને ભગવાનની મૂર્તિ ની આવશ્યકતા હોવાથી તેઓ શહેરના એક વિખ્યાત મૂર્તિકાર પાસે ગયા. કારણ કે તેઓએ મૂર્તિકાર ના વખાણ દરેક જગ્યાએ સાંભળ્યા હતા. અને લોકો કહેતા હતા કે તે પોતાના દિલથી ભગવાનની મૂર્તિ બનાવે છે. આથી આટલું સાંભળીને તે માણસ એ ત્યાં જવાનું નક્કી કર્યું.

ત્યાં ગયો એટલે જોયું તો મૂર્તિકાર એક મૂર્તિને બનાવી રહ્યો હતો. આથી પેલો માણસ બધું જોઈ રહ્યો હતો, એટલામાં એનું ધ્યાન ગયું કે બાજુમાં બીજી મૂર્તિ પડી હતી. તે મૂર્તિ પણ અસલ જે બનાવી રહ્યો હતો તેવી જ મૂર્તિ હતી.

આથી પેલા માણસે વિચાર્યું કે આ મૂર્તિકારને લગભગ એક સરખી ૨ મુર્તિ બનાવવાનો ઓર્ડર મળ્યો હશે. છતાં કુતૂહલ સાથે પૂછ્યું કે તમે આ બે મૂર્તિ કેમ એક સરખી જ બનાવી છે. બે મૂર્તિ નો ઓર્ડર મળ્યો છે કે શું?

ત્યારે મૂર્તિકાર એ કહ્યું કે ના. ઓર્ડર તો એક મૂર્તિ નો જ છે. પરંતુ આ બનેલી તૈયાર મૂર્તિમાં એક ખામી હોવાથી હું નવી મૂર્તિ તૈયાર કરી રહ્યો છું. પેલા માણસે જે તૈયાર મૂર્તિ બાજુમાં પડી હતી તેને થોડી વાર માટે તાકી તાકીને જોઈ પરંતુ તેને કોઈપણ ખામી દેખાય નહીં.

આથી મૂર્તિકાર ને પૂછ્યું કે આમાં તો કશી ખામી છે જ નહીં. વાંધો શું છે? ત્યારે મૂર્તિકાર એ કહ્યું કે એ મૂર્તિમાં રહેલા ભગવાનના નાક પાસે એક નાનકડો ચીરો પડી ગયો છે. આથી પેલા માણસે મૂર્તિકાર ને કહ્યું કે હવે મને દેખાય છે. તો આ મૂર્તિમાં આટલી નાનકડી ખામી છે કે જે કોઈપણ માણસને પહેલી નજરમાં દેખાય જ નહીં.

તો પણ તમે કેમ બીજી મૂર્તિ બનાવી રહ્યા છો? અને આ સવાલ પૂછતા ની સાથે તેને અંદર પણ આશ્ચર્ય થયું કે આટલી નાનકડી ખામી માટે આ બીજી મૂર્તિ કેમ બનાવી રહ્યો છે, જ્યારે આ ખામીને લગભગ કોઈ માણસ ઓળખી પણ ન શકે.

ત્યારે મૂર્તિકાર જવાબ આપ્યો કે ભલે તમને ખામી ન દેખાતી હોય, ભલે લોકોને પણ ખામી ના દેખાતી હોય. ભલે આખી દુનિયાને ખામી ન દેખાય. પરંતુ હું અને ભગવાન એ બંને જાણે છે કે મારાથી આ જગ્યા પર ભૂલ થઈ છે, જેથી એ મૂર્તિમાં એક ખામી રહી ગઈ છે. એટલે હું એ મૂર્તિને નવી બનાવી રહ્યો છું.

આટલું સાંભળીને પેલા માણસ ને મગજમાં આવી ગયું કે લોકો એના વખાણ અમથા જ નથી કરતા. તે ખરેખર દિલથી મૂર્તિ બનાવે છે.

પરંતુ આ વાતમાંથી આપણે સમજવાનું એ છે કે ઘણી વખત આપણે એમ સમજીને બધુ જતુ કરીએ છીએ કે આમાં કોઈને શું ખબર પડવાની? અથવા તો એમ વિચારીને છોડી દઈએ છીએ કે આ કોને ખબર પડવાની? પરંતુ હકીકતમાં આપણો દરેક હિસાબ ભગવાન પાસે તો હોય જ છે, આથી દરેક લોકોએ પોતાની ભૂલ ને સુધારવાની કોશિશ તો કરવી જ જોઈએ.

તમને આ વાર્તા સારી લાગી હોય તો આને લાખો લોકો સુધી પહોંચાડવા માટે દરેક ગ્રુપ માં શેર કરજો. અને કમેન્ટમાં અભિપ્રાય જરૂરથી આપજો કે આ વાર્તા કેવી લાગી.

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team