ભગવાનમાં માનો છો? તો આ સ્ટોરી વાંચવાનું ચુકતાં નહીં…

ભગવાન પર ભરોસો રાખવો એ કેટલી મહત્વની અને અગત્યની બાબત છે આજની સ્ટોરીમાંથી શીખવા મળશે. ભલે આ એક કાલ્પનિક વાર્તા હશે પરંતુ આ સ્ટોરી ને છેલ્લે સુધી વાંચીને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરજો.

એક ગામડામાં એક વખત એક સંત ધ્યાન ધરતા હતા, પરંતુ આ સંતની ધ્યાન ધરવાની રીત બીજાઓ કરતાં ખૂબ જ અલગ હતી. કારણ કે આ સંત ગામડા માં આવેલા એક કૂવા ઉપર પોતાને એક સાંકળ સાથે બાંધીને લટકીને ધ્યાન ધરતા હતા. અને તેઓનું માનવું હતું કે જે દિવસે આ સાંકળ તૂટી જશે એ દિવસે એ સંત ને ભગવાન ના દર્શન થઇ જશે.

સંત ની આવી ભક્તિ જોઈને આખુ ગામડું તેનાથી પ્રભાવિત થઈ ગયું હતું. ગામડાના બધા લોકો તેની ભક્તિની અને ધ્યાન ની પ્રશંસા કરતા રહેતા. એ જ ગામડામાં એક વ્યક્તિ પણ રહેતો હતો. જેની ઉંમર લગભગ 20 વર્ષની હતી.

એ યુવકને પણ તેના મનમાં સંત ને જોઈને ઇચ્છા જાગી કે મારે પણ ભગવાનના દર્શન કરવા છે. આથી તેને પણ સંતાનની જેમ જ ધ્યાન ધરવાનો નિર્ણય કર્યો.

એ પેલા કુવા પાસે જઈને પોતાના પગમાં દોરડું બાંધી અને કૂવામાં ઊંધો લટકી ગયો અને ભગવાનનું સ્મરણ કરવા લાગ્યો અને મનમાં ને મનમાં ભગવાન ને વિનંતી કરી રહ્યો હતો કે મને દર્શન આપો.

થોડા સમય પછી એ દોરડું તે યુવકના વજનને કારણે તુટી ગયું અને એ યુવક કૂવામાં નીચે પડે તે પહેલાં જ ભગવાને તેને દર્શન આપ્યા અને બચાવી લીધો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts