એક ડાકુ અને એક સંત ની મૃત્યુ એક જ દિવસે થઈ ગઈ…

ખૂબ જ જૂના સમયની આ વાત છે, એક ડાકુ અને એક સંત ની મૃત્યુ એક જ દિવસે થઈ ગઈ. વિધિના વિધાન કહો કે જે પરંતુ આ બંનેનો અંતિમ સંસ્કાર પણ એક જ દિવસે થયો અને આ બધું થયા પછી બંનેની આત્મા યમલોક ગઈ.

યમરાજે બંનેના કર્મોના લેખા-જોખા જોઈને એ બંનેને કહ્યું કે શું તમે તમારા કર્મો વિષે કંઈ કહેવા માંગો છો? તો તમને તમારી વાત રજૂ કરવાની અનુમતિ છે. આથી તમે જે પણ કંઈ કહેવા માંગતા હોય તે વિના સંકોચે કહેવા માંડો.

ડાકુ વિનમ્રતા સાથે કહ્યું કે પ્રભુ હું એક ડાકુ હતો. અને મેં આખા જીવન દરમિયાન પાપ જ કર્યા છે. તમે મારા કર્મોનું જ ફળ મને આપશો, તે મને સ્વીકાર્ય રહેશે.

એવી જ રીતે સાધુએ પણ પોતાની વાત રજૂ કરતાં કહ્યું કે મેં આખા જીવન દરમ્યાન તપ કર્યું છે, ભગવાનની ભક્તિ કરી છે, મેં આખા જીવન દરમ્યાન એક પણ ખોટું કામ કર્યું નથી. અને મેં હંમેશા ધર્મ-કર્મ નું કામ કર્યું છે. આથી મને સ્વર્ગ મળવું જોઈએ એવી મારી ઈચ્છા છે.

યમરાજે બંનેની વાત સાંભળી અને ડાકુ ને કહ્યું કે હવે તમે આ સાધુની સેવા કરો આ જ તમારો દંડ છે. અને આ વાત સાંભળીને ડાકુ આ કામ માટે તૈયાર થઈ ગયો.

પરંતુ આ વાત સાંભળીને સંત એકદમ ક્રોધિત થઈ ગયા, સાધુએ યમરાજને કહ્યું કે મહારાજ આ તો પાપી છે, આની આત્મા આ પવિત્ર છે. આ માણસે એના જીવનમાં કોઈ પણ સારું કામ કર્યું નથી. જો એ મને સ્પર્શ કરશે તો મારો પણ ધર્મભ્રષ્ટ થઈ જશે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts