જેલ માંથી ભાગેલો ચોર મંદિરમાં પુજારી પાસે આવ્યો પછી…

એક વખત એક ગામડામાં એક મંદિર હતું. એ મંદિરનો પૂજારી દરેક સાથે પ્રેમથી વ્યવહાર કરે અને દરેકને માન આપે. જો કોઇ જરૂરિયાત મંદ માણસ તે પૂજારી પાસે જઈને મદદ માટે અરજ કરે તો તે પૂજારી તેની અચૂક મદદ કરતો. એના કારણે જ લોકો પણ પૂજારીની ખુબ જ ઈજ્જત કરતા હતા.

એક દિવસ એક ચોર જેલ માંથી ભાગી ગયો, જેવો જેલમાંથી ભાગ્યો કે રાત થઈ ચૂકી હતી માટે રાત્રીના સમય કઈ જગ્યાએ વિતાવવો તે વિશે વિચારવા લાગ્યો, અને આજુબાજુ જગ્યાઓ જોવા લાગ્યો. પરંતુ ક્યાંય જગ્યા ન મળતાં તેને એક માણસને પૂછ્યું કે મારે રાત્રિના સુવા માટે જગ્યા જોઈએ છે, કાંઈ મદદ કરો.

પેલા માણસે કહ્યું કે અહીં પાસેના એક મંદિરમાં પૂજારી છે જે પૂજારી દરેકની મદદ કરે છે, મને વિશ્વાસ છે કે એ તારી પણ મદદ કરશે. માટે તું તે પૂજારીને મળ.

પેલા માણસે કહ્યા મુજબ ચોર મંદિરમાં ગયો અને મંદિરમાં પુજારી ને મળ્યો તેમજ તેને આખી વાત જણાવી, પૂજારીએ તે ચોર નું સ્વાગત મેહમાન ની રીતે કર્યું. અને ત્યાર પછી પૂજારીએ કહ્યું કે તું આજે રાત્રે મારી સાથે અહીં રોકાઈ શકે છે, અને તું તારા હાથ પગ અને મોઢું ધોઈ લે, મેં ખાવાનું બનાવ્યું છે તે તને આપુ. અને જમ્યા પછી તારી સૂવાની વ્યવસ્થા પણ કરી આપીશ.

આટલું કહ્યું ત્યાં સુધી એ પૂજારીને ખબર ન હતી કે પેલો માણસ ચોર છે. અને તે જેલમાંથી ભાગી ને આવ્યો છે. પેલા ચોર એ ખાવાનું ખાઈને ત્યાં જ સૂઈ ગયો. એટલામાં તેનું ધ્યાન પડ્યું કે પૂજારીના ઘરમાં તો ઘણા બધા સોનાના વાસણ છે. અને આ જોઈ ને તેને ચોરી કરવાનો મનમાં ખ્યાલ આવ્યો.

એ ચોર પોતાના મનને રોકી ન શક્યો અને થોડા-ઘણા સોનાના વાસણ લઈને ત્યાંથી ભાગી ગયો. તે જેવો ભાગ્યો એટલામાં જ પોલીસ હોવાને કારણે તે પાછો પકડાઈ ગયો. તેને પૂછતાંછ કરવા લાગ્યા એટલે ખબર પડી કે આ સોનાના વાસણ મંદિરના પુજારીના પાસેથી ચોરી કર્યા છે.

આથી પોલીસે એ પૂજારીને બોલાવીને કહ્યું કે આ સોનાના વાસણ તમારા છે? ત્યારે પૂજારીએ કહ્યું કે આ વાસણ મારા જ છે પરંતુ તમે આ માણસને કેમ પકડ્યો છે.?

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts