કહેવાય છે કે સાસુ વહુ નો સંબંધ દુનિયામાં સૌથી અલગ તેમજ અનમોલ હોય છે. ઘણી વખત આ સંબંધમાં નાની-મોટી તકરારથી તિરાડ પડી શકે છે એટલે જ આ સબંધ માં તાલમેલ બેસાડવો ઘણી વખત મુશ્કેલ હોય છે. ખાસ કરીને જ્યારે લગ્ન પછી પણ મા પોતાના દીકરાને બાળકની જેમ રાખે ત્યારે આ સંબંધમાં ઘણી વખત પ્રેમની જગ્યાએ ખાટી મીઠી તકરાર થતી હોય છે.
સાસુ ઘણી વખત ભૂલી જતી હોય છે કે હવે તેનો દીકરો પણ કોઈ નો પતિ બની ચૂક્યો છે. જો સાસુઓ આ વાતો સમજી લે તો વહુ અને સાસુ ના સબંધ માં ક્યારેય તિરાડ પડતી નથી.
લગ્ન પછી જ્યારે સાસુમા બાળકની જેમ પોતાના દીકરાને ટ્રીટ કરે તે ખોટું છે. સાસુ એ સમજવું જોઈએ કે તેનો દીકરો હવે મોટો થઈ ચૂક્યો છે અને તેના ખુદના ફેસલા તે પોતે કરી શકે છે, અને એને તેના ફેસલો લેવા દેવા જોઈએ જેથી આગળ જઈને મોટી જવાબદારીઓ માથે પડે ત્યારે તે તેને નિભાવી શકે.
પતિ-પત્નીના સંબંધમાં નાના-મોટા ઝઘડાઓ થતા રહેતા હોય છે, પરંતુ સાસુએ સમજીને રહેવું જોઈએ કારણ કે લગભગ દરેક પતિ-પત્ની વચ્ચે નાના-મોટા ઝઘડા થતા રહે છે. આથી સાસુ સાચી વાત વાતમાં બંને ને ટોકે તો એ વ્યાજબી નથી.
પોતાના ઘરને છોડીને સાસરામાં રહેવું તે આસાન કામ નથી. આથી સાસુએ વહુની આ ભાવનાઓને સમજવી જોઈએ. સાસુ એ પણ લગ્ન પછી ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હશે, આથી આવા વખતે તેને તેની વહુ નો સપોર્ટ કરવો જોઈએ.