વૃદ્ધાશ્રમમાં મૂકી ને ત્યાંના સંચાલક ને પૂછ્યું કે તમે પિતા ને ઓળખો છો? સંચાલક નો જવાબ સાંભળીને દીકરાના આંખમાંથી…

પોતાને સંતાનમાં એકનો એક દીકરો હતો. અને એકનો એક દીકરો હોવાથી તેને ખૂબ જ લાડકોડથી ઉછેર્યો હતો. દીકરો હવે સંપૂર્ણપણે મોટો થઈ ચૂક્યો હતો. તેના માટે સારું પાત્ર જોઇને તેની સગાઈ પણ નક્કી કરી દેવામાં આવી.

જોતજોતામાં લગ્ન પણ આવી ગયા અને લગ્ન કરી દીધા બાદ દીકરો અને વહુ બને રાજીખુશીથી રહેવા પણ લાગ્યા. આ જોઇને માતા પિતા બંને ખુશ હતા.

થોડા સમય પછી દીકરાનું વર્તન માતા-પિતા પ્રત્યે અજીબ થવા લાગ્યું. તેમ છતાં માતા પિતા એક શબ્દ પણ બોલતા નહિ અને જેમ દીકરો રાખે તેમ રહેતા.

દીકરો ધંધામાં પણ નિપુણ હતો, જ્યારે તે ઓફિસે જાય ત્યારે પાછળથી પણ દીકરાની વહુ તેના માતા-પિતાને ખૂબ સંભળાવતી પરંતુ માતા-પિતા દીકરાને કોઈ જ વાત કરતા નહીં અને એમનામ સહન કર્યે જતાં.

એક દિવસ અચાનક દીકરાની માતાની તબિયત ખરાબ થઈ ગઈ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા અને થોડા જ દિવસમાં તેણે દમ તોડી દીધો. દીકરાએ તેની માતાની મરણવિધી પતાવી અને ફરી પાછો ધંધામાં રચ્યોપચ્યો રહેવા લાગ્યો.

થોડા દિવસ પછી તેને તેના પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાનો નિર્ણય કરી લીધો, એક દિવસ સવારે પોતાના પિતાને તે વૃદ્ધાશ્રમમાં મૂકી અને પોતે ઘર ભણી જઈ રહ્યો હતો અને થયું કે લાવ પત્ની ને ફોન કરી જોઉં. એટલે પત્ની ને ફોન કરી ને કહી દીધું કે પિતાજીને તેના મુકામે મૂકી દીધા છે અને હવે હું સીધો ઘરે આવું છું.

પત્નીએ તરત જ સામે પૂછ્યું કે દિવાળીની રજામાં બાપુજી ઘરે તો નહીં આવી જાય અને એ જરા પૂછ્યું કે કેમ? તેના પતિ એ જવાબ આપ્યો કે એ તો પૂછવાનું જ રહી ગયું. મનોમન તેને પણ આ વાત ખટકવા લાગી એટલે કહ્યું કે સારું ચાલ હું હજી બહાર જ આવ્યો છું તો ફરી પાછો જઈ ને પૂછતો આવું. અને જો તે આવવાના હોય તોપણ હું કંઇક ને કંઇક બહાનું બતાવી દઉં છું જેથી તે આવવાનું માંડી વાળે.

પત્ની સાથે વાત કરીને ફોન કાપ્યો ફરી પોતાની ગાડીમાંથી નીચે ઉતરી ને વૃદ્ધાશ્રમ બાજુ ચાલવા લાગ્યો.

વૃદ્ધાશ્રમ આવ્યું તો તેણે વૃદ્ધાશ્રમ માં પ્રવેશતા પ્રવેશતા જોયું કે વૃદ્ધાશ્રમના જે સંચાલક હતા તેની સાથે જાણે વર્ષો જૂની ઓળખાણ હોય એ રીતે તેના પિતા ખૂબ જ હળી મળીને વાતો કરતા હતા.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts