ભારતીય સેનાને મળી મોટી સફળતા, ભારતીય સીમામાં ઘૂસતા આતંકીઓને ઠાર મરાયા

જણાવી દઈએ કે પાછળના થોડા દિવસોમાં સેનાએ લગભગ ચાર જેટલા આતંકવાદીઓને ઠાર મારી દીધા છે. અને પાકિસ્તાન તરફથી એક પછી એક કાશ્મીરની શાંતિ ભંગ કરવા માટે તેમજ અમરનાથ યાત્રા પર જનારા યાત્રીઓને નિશાન બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રાના માર્ગમાં થી પણ IED, સ્નાઇપર અને બારૂદ મળી આવ્યા છે. આથી તેને લઈને પણ મોટો નિર્ણય લેવાઈ ચૂક્યો હતો.

આર્મી ઓફિસિયલ માટે પણ જણાવ્યું હતું કે આ બધી ગતિવિધિઓ પાકિસ્તાનની ત્રાસવાદી ગતિવિધિઓ સાથેના કનેક્શન બતાવે છે અને કાશ્મીરમાં શાંતિ ભંગ કરવાનો ઇરાદો દેખાય છે.

આર્મી ઓફિસિયલ એ એમ પણ જણાવ્યું હતું કે કાશ્મીરમાં ત્રાસવાદીઓને ઘુસાડવા માટે ખૂબ જ મોટી માત્રામાં પ્રયત્નો કરાઈ રહ્યાં છે. જેમાં ઘણા ત્રાસવાદી સંગઠનના ત્રાસવાદીઓને કાશ્મીરમાં ત્રાસવાદ ફેલાવવા માટે ઘૂસણખોરીની કોશિશ કરવામાં આવી રહી છે.

આવા સમયે ભારતીય આર્મી ફરી એક વખત ખૂબ જ સાહસ ભર્યું અને આપણે દરેક લોકોએ ગર્વ લેવા જેવું કામ કર્યું છે. જય હિન્દ.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts