એક માજી ભગવાનને કચરો ચડાવી રહ્યા હતા, એક માણસે આ જોઈને ભગવાનને કચરો ચઢાવવાનું કારણ પૂછ્યું તો…

તેને ભગવાન ને પૂછ્યું પ્રભુ હું જ્યારે ગઈકાલે માજી સમક્ષ ઊભો હતો ત્યારે ઘણા લોકો ફૂલ તેમજ મીઠાઇ પણ ચડાવતા હતા અને આજે પણ મને વિશ્વાસ છે કે ઘણા લોકો ફૂલ તેમજ મીઠાઇ ચડાવી રહ્યા હશે. ઘણા લોકો તો મંદિરના રસ્તામાં આવેલા વૃક્ષો પરથી જ ફૂલ તોડીને તમને ચડાવે છે પરંતુ એ ફૂલ તો મને ક્યાંય દેખાયા નહીં?

મારે તમને એક સવાલ પૂછવો છે એવું કહીને તેને ભગવાન ને પૂછ્યું કે આવું કેમ?

ત્યારે ભગવાને તે માણસને જવાબ આપતા કહ્યું કે એ માણસ જે લોકો અડધું ચડાવે છે તેનું અહીં સુધી પહોંચતું જ નથી. અને પેલા માજી એ તો બધું જ અર્પણ કરી દીધું છે, તે પોતાની પાસે કશું જ બચાવીને રાખતા નથી તેની પાસે જે પણ કઈ છે તે અર્પણ કરી દીધું છે.

હે માણસ સમર્પણ નો સાચો અર્થ એ જ છે કે સમ + અર્પણ= એટલે કે સમર્પણનો અર્થ એ થયો કે આપણું મન પણ અર્પણ કરી દેવું. આજ છે સમર્પણ ની પરિભાષા. મન ના મતલબ માં ઊંડા ઊતરીએ તો તેમાં ઇચ્છાઓ, આશાઓ, ઈચ્છાઓનો ત્યાગ આ બધા નો મતલબ જ સમર્પણ થાય છે. સમર્પણ નો મતલબ એવો હોય છે કે પોતાના અહંકારનો ત્યાગ કરીને જેની પણ સમક્ષ આપણે સમર્પણ કર્યું છે તેના કહ્યા પ્રમાણે આપણું જીવન વ્યતિત કરવું.

અધ્યાત્મમાં આત્મસમર્પણ નો અર્થ પણ એ જ થાય છે કે આપણી આત્માને સમર્પણ કરી દેવી. જે લોકો પોતાનું બધું જ અર્પણ કરી દેશે તેનું જ મારી પાસે પહોંચે છે.

આપણે આપણી આખી ઉમર સુધી આપણા અહમ્ એટલે કે આપણા અહંકારને નથી છોડી શકતા આપણે બીજાઓને વગર લોભે કશું આપી નથી શકતા. ત્યાં સુધી કે ભગવાનને પણ કંઈક પામવાની લાલસા થી આપણે પ્રસાદ ચડાવીએ છીએ. અને જો આપણી ઈચ્છા પૂરી ન થાય તો ભગવાન પણ બદલીએ છીએ જ્યારે કે ભગવાન તો એક જ છે.

અચાનક જ પેલા માણસની નીંદર ઉડી જાય છે, ઉઠી ને જુએ છે તો પોતાનું શરીર આખું પરસેવાથી લથપથ થઈ રહ્યું હતું. ધબકારા પણ વધી ગયા હતા કારણકે તેને હવે સમજાયું કે અત્યાર સુધી જે પણ કંઈ મહેનત કરવામાં આવી તે બધી તો વ્યર્થ માં જતી રહી. એને પણ ભગવાનને બધું અર્પણ નહોતું કર્યું એ માણસને આજે સમજાઈ ગયું કે સમર્પણ એટલે સંપૂર્ણ જ હોય એમાં કશું અધૂરું ન હોય.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts