બીજા નોરતે ગુરૂ બદલશે પોતાનું સ્થાન, જાણો તમારી રાશી પર પ્રભાવ

ગુરુ નું રાશિ પરિવર્તન થઈ રહ્યુ છે. આજે બીજા નોરતા પર ૧૧ ઓક્ટોબરના રોજ સાંજે ગુરુ પોતાની જગ્યા બદલાવશે, તુલા રાશિ છોડીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. એક વર્ષથી ગુરુ તુલા રાશિમાં સ્થિત છે. વૃશ્ચિક એક ગુરુ ના મિત્ર મંગળની રાશિ છે, જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ ને અત્યંત શુભ ગ્રહ માનવામાં આવે છે અને તેની દૃષ્ટિને ઘણું મહત્વ આપવામાં આવે છે. જો ગુરુ લગ્નેશ થઈને અથવા લગ્ન ભાવમાં સ્થાપિત થઈને જે તે વ્યક્તિ નો કારક બને તો તે વ્યક્તિ ધીર-ગંભીર, બુદ્ધિમાન અને આકર્ષક વ્યક્તિત્વ વાળા હોય છે. જણાવી દઈએ કે ગુરુ હવે વૃશ્ચિક રાશિમાં ૫ નવેમ્બર ૨૦૧૯ સુધી રહેશે. આના રાશિ પરિવર્તન નો દરેક રાશિઓ પર અલગ-અલગ પ્રભાવ પડશે.

જણાવી દઈએ કે ગુરુના આ રાશિ પરિવર્તન નો દેશ સામાજિક, રાજનૈતિક અને આર્થિક સ્થિતિ પર બહોળા પ્રમાણમાં પ્રભાવ પડશે. જાણો તમારી રાશિ અનુસાર તમારા પર કેવો પ્રભાવ પડશે.

સિંહ રાશિના લોકો માટે આ પરિવર્તન સૌભાગ્યમાં ઉણપ આવી શકે, અને આર્થિક દ્રષ્ટિ મા મહત્વપૂર્ણ છે. મિત્રો સાથે તણાવની સ્થિતિ બની શકે.

આ સમયગાળા દરમિયાન મેષ રાશિના લોકો ને કપરા સમયગાળા ની વચ્ચે ક્યાંક ક્યાંક આશાની કિરણ નજર આવતી રહેશે. સાથે સાથે માનસિક અશાંતિ દુઃખ પણ પહોંચાડી શકે, મનને કાબૂમાં રાખવાની કોશિશ કરવી.

વૃષભ રાશિના લોકોને માટે આ સમય આર્થિક દૃષ્ટિએ જોવા જઈએ તો લાભદાયી નીવડી શકે છે. એટલે કામકાજ અને વેપારમાં સફળતા પ્રાપ્ત થશે, પરંતુ આના માટે પૂરતો પ્રયાસ કરવો પડશે.

મિથુન રાશિના લોકો માટે થોડી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે, અને કાર્યમાં વિઘ્ન આવી શકે છે. જેના લીધે મનમાં ચિંતા અને મુસીબતો વધશે. હેલ્થ સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે.

ગુરુનો શ્રેષ્ઠ પ્રભાવ હોય તો તે કર્ક રાશિના લોકો પર છે. પરંતુ અનુકૂળ પરિણામ મેળવવા માટે પ્રયાસ પણ તમારે વિશેષ કરવો પડશે, વ્યવસ્થિત મહેનત અને સંઘર્ષ થી વિશેષ ફળ પ્રાપ્ત થશે.

કન્યા રાશિના લોકો માટે આ સમયગાળો આર્થિક દ્રષ્ટિ થી માન સન્માન પદ-પ્રતિષ્ઠા અને ઉત્તમ સ્વાસ્થ્ય મળશે. ધન અને ઐશ્વર્ય માં વૃદ્ધિ થશે.

ગુરુનું વૃશ્ચિકમાં ભ્રમણ તુલા રાશિના લોકો માટે વિવાદ અને દુઃખ વધારશે. કાર્યક્ષેત્રમાં પણ સફળતા મેળવવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડશે.

વૃશ્ચિક રાશિના લોકો માટે ગુરુ ભાગ્યવૃદ્ધિ માં સહાયક થશે. પરંતુ શારીરિક સ્વાસ્થ્ય ને લઈ ને સાવધાની રાખવી. ધન અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે.

ધન રાશિના લોકો માટે થોડી મુશ્કેલીઓ આવશે. સામાજિક અને રાજનીતિક સાથે જોડાયેલા વ્યક્તિઓને ધન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડશે. અને આર્થિક વ્યય સંબંધિત મુશ્કેલી આવશે.

મકર રાશિમાં આ પરિવર્તન આર્થિક ધોરણ મજબૂત કરશે. નવા રોકાણો અને વેપારો માં પ્રવેશવાથી સફળતા મળી શકે, નોકરીમાં પ્રમોશનની પૂરી સંભાવના છે.
કુંભ રાશિના લોકો માટે આ આકસ્મિક પરિવર્તનથી થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે. અને તમારા વિરોધીઓ ને કારણે કાર્યોમાં અડચણ ઊભી થઈ શકે. માનસિક તાણનો સામનો કરવો પડી શકે.

મીન રાશિ ના લોકો માટે આ રાશિનો પરિભ્રમણ સુખી સાબિત થશે. આરોગ્ય, સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ અને સંતાનસુખની પ્રાપ્તિ થઇ શકે. આર્થિક દૃશ્ટિ એ પણ ફાયદો થશે.

આ પરિવર્તનોની સાથે ઘણા લોકો માં બદલાવ જોવા મળશે. ઘણી વખત એવું પણ થાય કે તમને કરેલા કાર્ય નો યશ ન મળે, અને તેનો કોઈ બીજો લઇ જાય. સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ થઈ શકે. પરંતુ આવામાં ગુરુવારે ગાયને ચણાની દાળ ખવડાવી શકાય જેનાથી આની અસર ઓછી થઈ શકે. ગુરુ માં પીળા રંગનું વિશેષ મહત્વ છે, ઇષ્ટદેવને પીળા રંગના પાંચ ફુલ પધરાવી શકાય. તમારા માતા-પિતા અને વડીલો ના આશીર્વાદ કાયમ લેતા રહેવું.

Read more

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team

૧૦ વર્ષ સુધી એક જ શર્ટ કેમ પહેરતો હતો આ પિતા? જાણીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે!

દામજીભાઈના હાથમાં રહેલી ચાની કીટલીનું વજન આજે કંઈક વધારે લાગતું હતું. સવારના પાંચ વાગ્યા હતા અને હજુ અંધારું હતું. રસોડાના લાકડાના ટેબલ પર એક ખૂણો થોડો

By Just Gujju Things Team