સ્વર્ગ અને નરક માં શું ફેર છે? આ વાંચી લો એટલે સમજાય જશે

એટલામાં યમરાજે આવીને કહ્યું કે માજી ચાલો આપણે હવે મોડું થાય છે માટે માજી અને યમરાજ બંને સ્વર્ગ પર જવા રવાના થઇ ગયા. અને જેવા સ્વર્ગ પહોંચ્યા કે માજી ને બધાનો હસતો બોલતો અવાજ સંભળાવા લાગ્યો. અંદર જઈને જોયું તો બધા લોકો ખુશ દેખાઈ રહ્યા હતા અને આ બધું જોઈને માજી પણ ખુશ થઇ ગયા. અને એટલામાં જ માજીની નજર એક વાસણ પર પડી જે અસલ નરકની જેમ જ 200 ફૂટ ઊંચું હતું અને તેમાં પણ ચમચી લટકેલી હતી.

માજી ને આશ્ચર્ય થતાં ત્યાંના લોકોને પૂછ્યું કે આ વાસણમાં શું છે? લોકોએ જવાબ આપ્યો કે આમાં ખૂબ જ સ્વાદિષ્ટ ખીર છે. માજી જવાબ સાંભળીને ચોંકી ગયા. અને લોકોને કહ્યું કે આ વાસણ તો 200 ફૂટ ઊંચું છે તો તમારામાંથી કોઈ પણ આ વાસણ સુધી પહોંચી ન શકે, તો તમને ખાવાનું કઈ રીતે મળતું હશે? અને જો ખાવાનું ન મળે તો તમે આટલા ખુશ કઈ રીતે રહી શકો?

ત્યારે લોકોએ જવાબ આપ્યો કે અમે બધા આ વાસણમાંથી જ પેટ ભરીને ખીર ખાઈએ છીએ. માજી એ પૂછ્યું અરે પણ આ વાસણ તો આટલું ઊંચું છે તો કઈ રીતે? ત્યારે લોકોએ કહ્યું કે અહીં કેટલા બધા વૃક્ષો છે, ભગવાને આ વૃક્ષો નદી ઝરણાં ઝાડપાન બધું મનુષ્યને ઉપયોગ માટે તો બનાવ્યું છે. અમે આ વૃક્ષમાંથી લાકડું લઈને તેને કાપ્યું તેમ જ કાપેલા ટૂકડાઓને જોડીને એક વિશાળ સીડી બનાવી. અને હવે અમે બધા મળીને ખીર નો આનંદ લઇ શકીએ છીએ.

આટલું સાંભળતા જ માજી યમરાજ જવાબની માંગણી કરતા હોય એમ સામે જોવા લાગ્યા.

યમરાજ હસીને બોલ્યા કે ભગવાને સ્વર્ગ અને નરક મનુષ્યના હાથમાં જ સોંપ્યું છે, ચાહો તો પોતાના માટે નરક બનાવી લો અને ચાહો તો સ્વર્ગ બનાવી લો. બધા ની હાલત સરખી જ છે.

નરકમાં પણ વૃક્ષો ઝાડપાન વગેરે હતું, પરંતુ તેઓ આળસુ હતા. તેઓને ખીર માત્ર હાથમાં જોઇતી હતી તેમાંનું કોઈ મહેનત કરવા માંગતું નહોતું. અને કર્મ ન કરવાના કારણે એ લોકો ભૂખથી બેહાલ હતા.

આ જ ઈશ્વરનો નિયમ છે. આથી સારા કર્મ કરતા રહો, મહેનત કરશે એને જ ફળ મળશે. બાકી મહેનત કર્યા વગર કંઈ જ મળતું નથી.

Writer: Unknown

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts