ડિપ્રેશનનો શિકાર થઇ નેહા કક્કડ, આવી રીતે કર્યો ખુલાસો ?

તેને પોતાના સોશિયલ મીડિયા માધ્યમથી જણાવ્યું હતું કે તેની ડિપ્રેશન માટે માત્ર તેનો બોયફ્રેન્ડ જ જવાબદાર નથી પરંતુ એવા લોકોને પણ જવાબદાર ગણાવ્યા હતા જે વારંવાર તેના અંગત જીવનને લઈને તેને સવાલો પૂછી રહ્યા હતા.

જણાવી દઈએ કે બંનેના બ્રેકઅપ પછી એક વખત જાહેરમાં નેહાને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે કોણ હિમાંશ? આ પછી પણ તેની ચર્ચા લોકોએ સોશિયલ મીડિયામાં કરી હતી. જોકે હજી સુધી તેનું બ્રેકઅપ શું કામ થયું તે કારણો સામે આવ્યા નથી.

પરંતુ એટલું તો કહી શકાય કે ગમે તે કહો પણ તે તેના ચાહક માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર છે એમ કહીએ તો પણ ચાલે. કારણ કે પોતાની જીંદગીમાં આવી ઘટનાઓના બન્યા પછી પણ લોકોની વચ્ચે આવીને પરફોર્મ કરવું ખૂબ જ અઘરું હોય છે.

ત્યારે તેણે પોતાની સ્ટોરીમાં જણાવ્યું હતું કે ગોવાહાટી તમે ચિંતા ના કરશો, તમારા માટે હું મારાથી થશે તે બેસ્ટ પર્ફોમન્સ કરીશ. આ તેને પોતાના આવનાર શો ને ધ્યાનમાં રાખીને કહ્યું હતું.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts