આખા વર્ષમાં એક મહાશિવરાત્રિ ના દિવસે જ ખુલે છે ભોળાનાથનું આ ચમત્કારિક મંદિર, મનોકામના પૂર્ણ થયા પછી કરવું પડે છે આ કામ...

ભારત દેશમાં મહાદેવ એટલે કે ભગવાન શિવના ઘણા પ્રખ્યાત મંદિરો છે. અને આ મંદિરોમાં લાખો ભક્તો દર્શન માટે મુલાકાત લેતા હોય છે. સમગ્ર વર્ષ દરમિયાન લાખો ભક્તો આ મંદિરોની મુલાકાત લેતા હોય છે. મહાદેવના આશીર્વાદ મેળવવા માટે દૂર-દૂરથી ભક્તોની લાઈન લાગે છે.

પરંતુ મધ્યપ્રદેશમાં એક મહાદેવનું એવું ચમત્કારિક મંદિર પણ છે જે આખા વર્ષમાં મહાશિવરાત્રીના દિવસે જ ખુલે છે. ભોલેનાથનું આ મંદિર મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં આવેલું છે. પ્રાચીન સોમેશ્વર મહાદેવ મંદિર તરીકે જાણીતું આ મંદિર ઊંચા પર્વત પર આવેલું છે. અહીં ભગવાન સોમેશ્વર મહાદેવના દર્શન ને ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે.

આ સોમેશ્વર નું પ્રાચીન મહાદેવનું મંદિર ની એક ખાસ બાબત એ છે કે તેના દરવાજા વર્ષમાં માત્ર એક જ દિવસે એટલે કે મહાશિવરાત્રીના દિવસે જ ખોલવામાં આવતા હોય છે. મંદિરના દ્વાર સવારે છ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી માત્ર 12 કલાક માટે ખોલવામાં આવે છે. અને જણાવી દઈએ કે પુરાતત્વ વિભાગ તેમજ વહીવટી વિભાગ ની હાજરીમાં જ મંદિર ખોલવામાં આવે છે અને સૂર્યાસ્ત પછી મંદિરને બંધ કરવામાં આવે છે.

જણાવી દઈએ કે આ ચમત્કારિક મંદિર પણ માની શકાય કારણ કે મંદિર બંધ હોય ત્યારે પણ આખા વર્ષ દરમિયાન ભક્તો અહીં આવતા જ રહે છે. મંદિરના દરવાજા ઉપ્પર તાળું લાગેલું હોવા છતાં ભક્તો દ્વારની બહાર થી જ બાબા સોમેશ્વર ની પૂજા કરે છે અને માનતા પણ રાખતા હોય છે. માનતા માનતી વખતે આ લોકો મંદિરના લોખંડના દરવાજા પર પવિત્ર દોરો અથવા કપડું બાંધતા હોય છે. જેને માનતા પુરી થાય ત્યાર પછી એ બાંધેલા કપડાને ખોલવા માટે આવવું પડે છે.

જણાવી દઈએ કે આ મંદિરને લઈને એક વાત ખૂબ જ પ્રચલિત છે કે અહીં શિવલિંગ ઉપર જ્યારે પણ સૂર્યની કિરણો પડે છે ત્યારે તે જાણે સોનાની જેમ ચમકી ઊઠે છે. એટલું જ નહીં શ્રાવણ મહિનામાં મંદિરમાં આવનારા શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. શિવલિંગના જલાભિષેક માટે એક અલગથી વ્યવસ્થા કરવામાં આવે છે. એક લોખંડની જાડી લગાવીને ભગવાન શિવના દૂરથી દર્શન કરાવવામાં આવે છે અને પાઇપ દ્વારા શિવલિંગને જળ અર્પણ કરવામાં આવે છે.

શું તમે આ મંદિર વિશે જાણતા હતા કે નહીં તે કમેન્ટ કરીને જણાવજો અને હર હર મહાદેવ પણ લખજો...

Read more

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team
ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

રમેશના ખભા પર લટકતો જૂનો કાપડનો થેલો આજે રોજ કરતા વધારે ભારે લાગતો હતો. ઉનાળાની સાંજનો બફારો હજુ હવામાં અકબંધ હતો. તેણે પોતાના ઘરના લાકડાના જૂના દરવાજા પર હા

By Just Gujju Things Team