કાદરખાનને કારણે સ્કૂલમાં તેના બાળકોને માર સહન કરવી પડતી, છોડવું પડયું હતું આ કામ

બોલિવૂડના દિગ્ગજ અભિનેતાઓ ની સૂચિમાં જેનું નામ સામેલ કરવામાં આવે છે તે કાદરખાન નુ કેનેડાની એક હોસ્પિટલમાં લાંબી બિમારી પછી અવસાન થયું હતું. અને તેની પુષ્ટિ તેના પુત્રએ પણ કરી હતી. અવસાન થયા પછી લગભગ બોલિવૂડના દરેક અભિનેતાઓ તેમજ અભિનેત્રીઓએ તેને શ્રધ્ધાંજલિ આપી હતી.

કાદરખાન એ પોતાના કામથી બોલિવૂડમાં પોતાનું અલગ જ નામ કર્યું હતું. એટલું જ નહીં પોતાની દમદાર અદાકારી અને અભિનયથી લોકોનું દિલ જીત્યું હતું. લગભગ દરેક પ્રકારના પાત્રો તેને નિભાવ્યા હતા. એ પછી કોમેડી કેરેક્ટર હોય કે વિલન પરંતુ લગભગ દરેક પાત્રોને તેને ન્યાય આપ્યો હતો. માત્ર અભિનય જ નહિ પરંતુ તેઓ ઉમદા લેખક પણ હતા.

કાદરખાન ના અભિનયના કેરિયર ની વાત કરીએ તો શરૂઆતથી જ તેને ઘણા લાંબા સમય સુધી ફિલ્મોમાં નકારાત્મક પાત્રો ભજવ્યા હતા. ત્યાર પછી તેને ચરિત્રવાન ભૂમિકાઓ તેમજ કોમેડી ના કેરેક્ટર પણ નિભાવ્યા હતા. તેઓ વિલનના રોલમાં પણ લોકો વચ્ચે લોકપ્રિય બની ગયા હતા. પરંતુ તેને વિલનનો રોલ છોડવાનો ફેસલો કર્યો હતો તેનું કારણ પોતાનું અંગત કારણ હતું.

નેગેટિવ રોલ છોડવાની બાબતમાં તેના બાળકો અને પરિવાર કારણ રહ્યા હતા. એક ઈન્ટરવ્યૂમાં જ્યારે નકારાત્મક રોલ ને છોડવા વિશે તેને પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે ક્યારેક સ્કુલેથી બાળકો આવતા હતો તેના નાક પાસે લોહી નીકળતું રહેતું, તો ક્યારેક તેનું મોઢું સોજી જતું. અને તેઓ રડી ને કહેતા કે સ્કૂલમાં બાળકો ચીડવે છે કે તારો બાપ આખી ફિલ્મમાં તો શેખી મારે છે અને છેલ્લે તે માર ખાય છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts