જ્યારે એક બાપે પોતાની દિકરીને ઘરમાંથી કાઢી મુકી, પછી તેની સાથે જે થયુ…

મારી પ્યારી ગુડિયા, હાલ મારી મા તારી માતાના ઘરેણાઓ અને મેં જે તારા લગ્ન માટે ઘરેણાં ખરીદ્યા હતા તે બધા રાખેલા છે, અને આ સિવાય ત્રણ-ચાર ઘર અને થોડી જમીનો છે. મેં બધું તારા બાળકો ના નામે કરી નાખ્યું છે. થોડા પૈસા બેંકમાં પણ પડેલા છે જે બેંકમાં જઈને ઉપાડી લેજે. અને છેલ્લે બસ એટલું કહેવા માંગું છું કે મારી દીકરી, કાશ તે મને સમજવાની કોશિશ કરી હોત.! હું તારો દુશ્મન નહીં તારો બાપ હતો. એ બાપ જેને તારી માતાના મર્યા પછી બીજા લગ્ન ન કર્યા. લોકોની વાતો સાંભળી, ગાળો સાંભળી, કેટલાય સંબંધ ટુ કરાવી દીધા પણ તને બીજી માતા થી કોઈ કષ્ટ ન મળે એટલા માટે પોતાના શોખને મારી નાખ્યો.

અંતમાં બસ એટલું કહેવા માંગું છું કે, દીકરી જ્યારે તું લગ્ન કરીને ઘરે આવી હતી, ત્યારે તારો બાપ પહેલીવાર તૂટ્યો હતો. તારી માતાના મર્યા ના સમયે પણ હું એટલો નહોતો રહ્યો જેટલો એ દિવસે રડ્યો હોઈશ. એટલા માટે નહીં કે સમાજ, પરિવાર, સંબંધીઓ શું કહેશે પરંતુ એટલા માટે કે જે મારી નાની ગુડિયા કંઈ પણ કામ હોય તો મને અડધી રાત્રે પણ જગાડતી પરંતુ એને લગ્ન જેવડો મોટો ફેસલો લેતા પહેલા એક વખત મને જણાવવાનું પણ સાચું ન સમજ્યું. હવે તો દીકરા તું પણ મા બની ચૂકી છે આથી પોતાના સંતાન ને ખુશી અને દર્દ શું હોય છે, સંતાન જ્યારે દિલ તોડે તો કેવું લાગે છે તે બધું મહેસૂસ કરી શકતી હશે. પરંતુ હું ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે તારે ક્યારેય આ દુઃખ જોવું ન પડે.

દીકરી, એક ખરાબ પિતા સમજીને પણ મને માફ કરવાની કોશિશ કરજે. તારા પિતા સારા ન હતા કે શું તે તારા પિતાને આટલું બધું દુઃખ આપ્યું. કાગળ અહીં સમાપ્ત કરૂં છું, બની શકે તો મને માફ કરી દેજે બેટા.

આ કાગળની સાથે એક ચિત્ર કે જે ચાંદની એ તેના નાનપણમાં બનાવ્યું હતું, તે પણ જોડેલું હતું. જેમાં તેણે લખ્યું હતું કે આઇ લવ યુ મારા પપ્પા. એવામાં તેના મોટા પપ્પા આવ્યા, ચાંદની એ રડતા રડતા બધી વાતો તેના મોટા પપ્પાને જણાવી પરંતુ એક વાત તેના મોટા પપ્પા એ પણ જણાવી. તેના મોટા પપ્પાએ કહ્યું કે ચાંદની તને જે રેસ્ટોરન્ટ ખોલવા માટે અને ઘર ખરીદવા માટે જે પૈસા મે તને આપ્યા હતા, તે મારા નહીં પરંતુ તારા પિતાજી એ જ મારા માધ્યમથી અપાવ્યા હતા. કારણ કે સંતાન ગમે તેટલા ખરાબ કેમ ન હોય, પરંતુ મા-બાપ ક્યારેય ખરાબ હોતા નથી.

સંતાનો ચાહે પોતાના મા-બાપને છોડી દે, પરંતુ મા-બાપ મર્યા પછી પણ પોતાના સંતાનનું સારું જ વિચારે છે અને તેને દુઆ દેતા રહે છે.

ચાંદનીના પિતાને શાંતિ મળશે કે કેમ એ તો નથી જાણતા. પરંતુ એ કાગળ વાંચીને આખી જિંદગી ચાંદની ને શાંતિ નહીં મળે, છેલ્લે માત્ર એટલું જ જણાવવા માંગીએ છીએ કે લવ મેરેજ કરવા તે કોઈ ખોટી વાત નથી, પરંતુ જો તમે તમારા માતા-પિતાની આજ્ઞા લઈને તેમજ તેને સામેલ કરો તો તે સારું છે. ઘણી વખત આપણા કરતાં વધુ આપણા હિતમાં શું છે તે આપણા માતા-પિતા થી વિશેષ કોઇ જાણતું હોતું નથી, બસ આ એક વાક્ય આંખે જિંદગીભર યાદ રાખજો. અને કાયમ પોતાના માતા-પિતાનો આદર કરજો.

જો આ વાત તમારા હૃદય સુધી પહોંચી હોય તો મહેરબાની કરીને આ વાતને દરેક લોકો સુધી શેર કરજો, આથી દરેક લોકોને આ સ્ટોરી પરથી સમજાય કે મા-બાપ નું શું મહત્વ છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts