દરેક માણસની જીંદગી કેવી હોય છે, આ વાંચશો એટલે સમજી જશો

પરંતુ ગાય એ કહ્યું કે ૬૦ વર્ષ સુધી મહેનત કરવી તે મારા માટે ખરેખર બહુ લાંબી જિંદગી થઇ જશે. હું વીસ વર્ષની જિંદગી જીવવા માંગું છું અને બાકીના 40 વર્ષ તમને આપી દઈશ. આ બરાબર છે?

ભગવાને ગાય ની આજ્ઞા પણ સ્વીકારી લીધી અને સહમત થઈ ગયા.

પછી ભગવાને માણસને બનાવ્યો અને કહ્યું કે જા તું દુનિયામાં જઈને ખા, પી, નિંદર કર, રમજે, લગ્ન કરજે અને તારી જિંદગીને ખૂબ જ માણજે. અને આના માટે હું તને 20 વર્ષની જિંદગી આપું છું.

પણ માણસ એ આનો વિરોધ કરતા કહ્યું કે માત્ર ૨૦ વર્ષ જ? ભગવાન, શું તમે મને મારા 20 વર્ષ, અને ચાલીસ ગાયના, 10 વાંદરાના અને દસ કૂતરા ના આપી શકો? આનાથી હું 80 વર્ષ જીવી શકીશ. આટલું કહીને તેને ભગવાન પાસે આજ્ઞા કરી.

ભગવાને કહ્યું તું કહે છે તો આપી જા… એમ કહીને સહમત થઈ ગયા.

સાચી વાત હવે શરૂ થાય છે કારણકે આટલા માટે જ આપણે જિંદગીના પહેલા વીસ વર્ષમાં ખાઈએ-પીએ આનંદ કરીએ છીએ. અને આપણી જાતને માણીએ છીએ. પછીના ચાલીસ વર્ષ આપણા પરિવાર ને સપોર્ટ કરવા માટે નોકરી ધંધાના વગેરેના ગુલામ થઈને અને સૂર્યરૂપી જિંદગીનો ગમે તેવો તાપ આવે તો પણ આપણા પરિવાર ને સપોર્ટ કરીએ છીએ. પછીના દસ વર્ષ સુધી આપણે વાંદરાની જેમ આપણા બાળકના બાળકોને મનોરંજન પૂરું પાડીએ છીએ. અને ત્યાર પછીના દસ વર્ષ સુધી આપણે માત્ર ઘર ના દરવાજે બેસીએ છીએ અને આવતા જતા દરેક લોકો સાથે ભસતા જ હોઈએ છીએ.

બસ આ જ આપણી જિંદગી છે, માણસની જિંદગી કેવી હોય છે તે આ વાર્તા પરથી સમજી શકાય.

શું તમે આ વાત સાથે સહમત છો કે નહીં? તે કમેન્ટમાં જણાવજો

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts