રાશિ અનુસાર ધનતેરસ પર આ ખરીદવું માનવામાં આવે છે શુભ

ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીએ પોતાના હાથમાં અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. ભગવાન ધન્વન્તરી એટલે ત્રણેય લોકના સ્વામી ભગવાન વિષ્ણુનું જ એક સ્વરૂપ છે. અને એટલા માટે જ આ દિવસે ભગવાન ધન્વંતરિ નું પૂજન પણ કરવામાં આવે છે. અને ભગવાન ધન્વંતરિ નું પ્રાગટ્ય હાથમાં કળશ લઈને થયું હોવાથી આ દિવસે કોઈ વાસણ અથવા વસ્તુ ખરીદવાની પરંપરા ચાલુ થઈ હતી.

એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે વસ્તુ ખરીદવાથી ધનમાં તેર ગણી વૃદ્ધિ થાય છે. આ દિવસે ઘણા લોકો ભગવાન ધન્વન્તરી નું પૂજન કરીને ઘરના મુખ્ય દ્વાર ઉપર દીવો પ્રગટાવે છે. આ દિવસે લોકો સોનું ચાંદી પીત્તળ તાંબુ વગેરે પોતાના સામર્થ્ય અનુસાર કંઈક ખરીદી કરે છે.

આ વખતે કઈ રાશિ એ કઈ ધાતુની વસ્તુ લેવાથી તેના માટે લાભદાયી સાબિત થશે તેના વિશે જ્યોતિષાચાર્યએ જણાવ્યું હોય છે, ચાલો જાણીએ એ વસ્તુઓ વિશે...

વૃષભ, કુંભ અને કન્યા રાશિના લોકોએ ચાંદીની વસ્તુ એટલે કે ચાંદી ધાતુ અત્યંત શુભ રહેશે. આથી આવા લોકોએ પોતાના સામર્થ્ય અનુસાર નાની અથવા મોટી ચાંદીની વસ્તુ ખરીદી કરવી જોઈએ.

મિથુન રાશિના લોકો માટે ધનતેરસના દિવસે તાંબાની ધાતુ ની કોઈપણ વસ્તુ લઈ શકાય. તાંબાની વસ્તુ ખરીદવાથી મિથુન રાશિના લોકોને વિશેષ લાભ થઇ શકે તેમ છે.

મેષ રાશિના જાતકો માટે જો તેઓ પિતળની વસ્તુઓ ખરી છે તો તે શુભ સાબિત થશે. આથી ધનતેરસના દિવસે આવા લોકોએ પિતળની કોઈપણ વસ્તુ ખરીદવી જોઈએ.

કર્ક રાશિના લોકો સ્ટીલ નું વાસણ અથવા તેની કોઈ વસ્તુ ખરીદી શકે છે જેનાથી ધનતેરસના દિવસે તેઓને આ વસ્તુ ખરીદવી તે લાભદાયી સાબિત થઇ શકે.

સિંહ અને વૃશ્ચિક રાશિના લોકો માટે સોનાની ખરીદી અત્યંત શુભ રહેશે. પોતાના સામર્થ્ય અનુસાર પરંતુ સોનાની કોઈ પણ વસ્તુ આ રાશિના લોકોએ અવશ્ય ખરીદવી જોઈએ.

તુલા રાશિના લોકો માટે ધનતેરસે તાંબા ની ખરીદી શુભ રહેશે, પોતાના સામર્થ્ય પ્રમાણે નાની કે મોટી તાંબા ની વસ્તુ ઘરમાં જરૂર વસાવજો, એનાથી આર્થિક ફાયદો મળશે.

ધન રાશિના લોકો માટે પંચ ધાતુથી બનેલી ચીજ ખૂબ જ શુભ સાબિત થઈ શકે, ધન તેરસ પર આ રાશિના લોકોએ આ વસ્તુ લઈ શકાય.

મકર રાશી ના લોકો માટે ધનતેરસના દિવસે કોઇપણ સફેદ ધાતુની ખરીદી કરી શકાય, આમાં સ્ટીલ ની ખરીદી પણ શુભ માનવામાં આવે છે.

મીન રાશિના લોકો માટે પણ સોનું ખરીદવું તે અત્યંત શુભ મનાય રહ્યું છે. આ લોકો પોતાના સામર્થ્ય અનુસાર નાની મોટી કોઈપણ સોનાની વસ્તુ ખરીદી શકે છે.

Read more

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team