દાદુ, સફળ કેમ થવાય? 10 વર્ષના પૌત્રના આ સવાલનો દાદાએ એવો જવાબ આપ્યો…

આ સાંભળીને દાદાએ કહ્યું કે તું આટલી જલ્દી નિર્ણય ન લે, હજી આપણે બહાર નો છોડ જોવાનો બાકી છે. એમ કહીને તે બંને બહાર નો છોડ જોવા ગયા, અને જોયું તે ભેગું છોકરાને આશ્ચર્ય થયું કારણ કે તે છોડ હવે વૃક્ષ બની ગયું હતું. તેની આજુબાજુમાં ડાળીઓ હતી અને પાન પણ ઘણા બધા હતા.

પછી આશ્ચર્ય સાથે તેના દાદાજીને તેને પૂછ્યું કે આ કઈ રીતના શક્ય છે? બહાર રાખેલા છોડને તો ન જાણે કેટલા ખતરાનો સામનો કરવો પડ્યો હશે છતાં પણ તે આટલો સફળ કઈ રીતે થઈ શક્યો?

દાદાએ કહ્યું કે બહાર રાખેલા છોડ પાસે આઝાદી હતી. એ જેટલું ઇચ્છે એટલી એના મૂળ ને ફેલાવી શકતો હતો. એ જેટલું ઇચ્છે એટલી એની શાખાઓ લાંબી કરી શકતો હતો. અને અંદર રાખેલ આ છોડ પાસે સહીસલામત એક જ વિકલ્પ હતો. જેના કારણે તે આટલો સફળ થઇ શકયો નહીં, અને પોતાની ક્ષમતાઓ નો ઉપયોગ કરી શક્યો નહીં.

આપણા દરેક માણસમાં ક્ષમતાઓ સરખી જ આપેલી છે. પરંતુ અમુક લોકો તેના કમ્ફર્ટ ઝોન એટલેકે સુરક્ષિત કવચ માંથી બહાર જ નથી નીકળતા અને તેઓ કાંઈ નવું દુનિયામાં કરતા જ નથી જેથી ઘણી વખત તેઓ સફળ થતા નથી. અને જે લોકો હાલમાં સફળ છે તે લોકોએ પણ અસફળતા ભરપૂર પ્રમાણમાં મેળવી છે પરંતુ તેની અંદર ની ક્ષમતા ઓળખીને અસફળતાને ગણકારી જ નહીં. અને સતત મહેનત કરતા હોય છે, માટે જ તેઓ સફળ થાય છે.

દુનિયામાં લગભગ 1% એવા માણસો હશે જે પેલા બહાર ના છોડ જેવા છે અને તે સફળ થાય છે!

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts