અજય દેવગણ નું એલાન: પાકિસ્તાનમાં નહીં રિલીઝ થાય ફિલ્મ “ટોટલ ધમાલ”

એવામાં અજય દેવગણની ફિલ્મ ટોટલ ધમાલ 22 તારીખે રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે અજય દેવગણ એલાન કર્યું હતું કે તેઓની ફિલ્મ ટોટલ ધમાલ ને પાકિસ્તાનમાં રિલીઝ કરવામાં આવશે નહીં. અત્યારની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ પગલું ભરવામાં આવ્યું છે તેવું પણ ટ્વિટમાં જણાવ્યું હતું.

અને આ એલાન કર્યા પછી ટ્વિટર પર ઘણા બધા લોકોએ તેના આ પગલાં ના વખાણ કર્યા હતા. જણાવી દઈએ કે તેનું આ ફિલ્મ ટોટલ ધમાલ મા અજય દેવગણ સિવાય અનિલ કપૂર, માધુરી દીક્ષિત, રિતેશ દેશમુખ, જેવા કલાકારો પણ સામેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ ટોટલ ધમાલ ની ટીમ દ્વારા 50 લાખ રૂપિયાનું દાન પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનો ના પરિવાર ને આપવામાં આવ્યું હતું. આ જાણકારી ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે ટ્વિટ કરીને આપી હતી. ફિલ્મ ટોટલ ધમાલ ની ટીમ દ્વારા કરાયેલા દાનના પણ લોકોએ વખાણ કર્યા હતા.

Cover Image Source: Twitter/Ajay Devgan (representational)

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts