જે ભગવાનને માનતો પણ ન હતો તેને ભગવાને દર્શન આપ્યા, પેલા માણસે કારણ પૂછ્યું તો જવાબ સાંભળીને…

આમ આવું વિચારીને એ મંદિરે ગયો નહીં. અને બીજી બાજુ પેલો નાસ્તિક મિત્ર પોતાનો દીવો ઓલવવાનું કામ કરવા માટે દરરોજની જેમ સમયસર હાજર થઈ ગયો હતો. અને તેનો મિત્ર આવે તેની રાહ જોઈ રહ્યો હતો. થોડા સમય રાહ જોઇ પરંતુ મિત્ર આવ્યો નહીં, એ મંદિરના પ્રાંગણમાં જ બેઠો હતો ઘણો સમય વીતી ગયો પરંતુ એનો મિત્ર આવ્યો નહીં. આથી મિત્ર ના બદલે તેને પોતે જ દીવો પ્રગટાવ્યો અને દીવો પ્રગટાવી અને પછી પોતે જ ફૂંક મારીને તેને તરત જ ઓલવી નાખ્યો.

બસ આ વસ્તુ બને એવામાં જાણે આકાશમાંથી ચમત્કાર થયો હોય એવો ભયંકર વીજળી નો અવાજ આવ્યો અને આ જ ક્ષણે ભગવાન શિવ ભોળાનાથ પ્રગટ થયા અને તરત જ પહેલાં નાસ્તિક માણસને આશીર્વાદ આપ્યા. પેલો માણસ તો વિચારમાં પડી ગયો કે આ કઈ રીતે બને? તરત જ તેને ભગવાનને કહ્યું કે પ્રભુ હું તો તમારામાં તો પણ ન હતો મને તમારા અસ્તિત્વમાં પણ કોઈ વિશ્વાસ ન હતો, અને જેને તમારા અસ્તિત્વમાં વિશ્વાસ છે જે રોજ દીવો પ્રગટાવે છે અને હું ઓલવી નાખું છું તેમ છતાં આપે એની બદલે મને કેમ દર્શન આપ્યા પ્રભુ? દર્શન નો સાચો હકદાર તો મારો આસ્તિક મિત્ર જ છે.

આથી ભગવાન તરત જ જવાબ આપતા હસતા હસતા કહ્યું તું ભલે નાસ્તિક છો પરંતુ કોઈ પણ કામ પ્રત્યેની તારીખ નિષ્ઠા મને ખૂબ જ પસંદ પડી છે. વરસાદ આવ્યો એ જોઈને મારા પેલા ભક્ત એ મારી પાસે આવવાનું માંડી વાળ્યું પરંતુ દરરોજ દીવો બોલવાનું તારું કામ કરવા માટે તું કાયમ નિત્ય સમય અનુસાર હાજર જ રહ્યો. આટલું કહીને ભગવાને ફરી પાછા તેને ઘણા આશીર્વાદ આપ્યા.

ભલે આ સ્ટોરી સાચી ન હોય પરંતુ આ સ્ટોરી માં થી એટલું તો સમજી જ શકાય કે જે પણ કોઈ કામ કરવાની ભગવાનની કૃપાથી તક મળી હોય એ કામ પૂરી નિષ્ઠાથી નિભાવી જાણીએ એમાં ભગવાન ખુદ પણ રાજી હોય છે. તમે કોઈપણ ક્ષેત્રે તમારું કામ કરી રહ્યા હોય પરંતુ એ ક્ષેત્રે સંપૂર્ણ સમર્પણ સાથે ફરજ બજાવીએ તો એનાથી પણ પ્રભુ રાજી થાય છે.

આ સ્ટોરી વિશે તમારું શું માનવું છે તે નીચે કમેન્ટ કરીને જણાવજો અને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts