બોલીવુડ ના અભિનેતા કાદર ખાન નું નિધન, બિગ બી થી માંડી આવા લોકોએ આપી શ્રદ્ધાંજલિ

જુઓ આખી ટ્વીટ


લોકપ્રિય અભિનેતા અને સાંસદ પરેશ રાવલ એ પણ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો.

હાલ જેવો કેન્દ્રીય મંત્રી છે અને એક સમયે લોકપ્રિય અભિનેત્રી રહી ચૂકેલા સ્મૃતિ ઈરાનીએ પણ તેના અવસાન પર આવક ટ્વીટ લખી હતી. અને સાથે લખ્યું હતું કે જો તમે 80-90 ના દશકમાં કાદરખાન સાહેબને જોયા હોય તો તેના જાદુ ને તમે જાણતા હશો. હું ક્યારેય કાદરખાન સાહેબને મળી શકી નહીં પરંતુ જો મળી શકી હોત તો બધાને હસાવવા માટે તેનો આભાર માન્યો હોત.

આ સિવાય પણ ઘણા બોલિવૂડ અભિનેતાઓએ તેમજ નિર્દેશક વગેરે એ પોતાની સંવેદના દ્વારા વ્યક્ત કરી હતી.

કાદરખાન ના પુત્ર એ પીટીઆઇને જણાવ્યું હતું કે મારા પિતા અમને છોડીને ચાલ્યા ગયા છે. કેનેડાના સમય અનુસાર ૩૧ ડિસેમ્બરે સાંજે 6:00 વાગ્યે તેનું અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. અને બપોરે કોમામાં જતા રહ્યા હતા. તેઓ 16 થી 17 અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતા. તેનો અંતિમ સંસ્કાર કેનેડામાં કરવામાં આવશે. આ મારો આખો પરિવાર અહીં છે અને અમે અહીં લાંબા સમયથી રહી રહ્યા છીએ. અમે બધા ની દુઆઓ માટે આભાર વ્યક્ત કરીએ છીએ.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts