જીવનના એક પણ ખૂણે અટકવું ન હોય, તો પ્રધાનમંત્રીની આ વાત માની લો

આ બનાવ છે ન્યૂટન સાથે બનેલો, જેના મગજ અને બુદ્ધિની આજે પણ કદર થાય છે અને લોકો તેના વખાણ કરતા થાકતા નથી. એની પાસે એક બિલાડી હતી અને એ બિલાડીએ 2 બચ્ચાને જન્મ આપ્યો. હવે બિલાડી અને બચ્ચાઓને જ્યારે બહાર જવું હતું ત્યારે તેઓ દરવાજા પાસે આવીને ઉછળકૂદ કરવા લાગતા.

આથી એક દિવસ ન્યૂટન પોતાના નોકરને બોલાવીને સૂચના આપી કે આ દરવાજા માં બે છેદ કરી દો, એક મોટો બિલાડીને નીકળવા માટે અને એક નાનો તેના બચ્ચાઓને નીકળવા માટે.

આ સાંભળીને નોકર બોલી ઉઠ્યો કે આપણે બે છેદ કરવાની જરૂરત નથી. મોટો છેદ કરી દઈએ તો તેમાંથી બિલાડી પણ નીકળી જાય અને બચ્ચાઓ પણ નીકળી જાય. આ સાંભળીને ન્યુટન તેના નોકર નું મોઢું જ જોતા રહી ગયા, અને વિચાર્યુ કે આ વાત તેના મગજમાં શું કામ આવી નહીં.

બસ આટલું કહીને શાસ્ત્રીજીએ સલાહકાર સામે જોયું, ત્યાં સલાહકાર બધું સમજી ગયા.

આ ઘટના તો ન્યુટન સાથે ઘટી હતી પરંતુ એમાંથી આપણે બધાને ઘણું શીખવા મળે છે કે દરેક માણસમાં પોતાની અંદર એવા ગુણો રહેલા છે જેનાથી તે કઈ પણ કરી શકે છે. આથી કોઈપણ માણસને ઓછો આંકવાની ભૂલ ન કરવી.

આ કિસ્સો ઇન્ટરનેટ પર મળ્યો હતો, અને પ્રેરણાદાયક હોવાથી આપણે તમારી સાથે શેર કર્યો છે. તમે પણ આને તમારા મિત્રો સાથે શેર કરજો જેથી દરેક લોકો સુધી પ્રેરણા પહોંચે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts