શનિદેવ ને શાંત કરવા માટે અચૂક અપનાવો આ રામબાણ ઉપાય, દુઃખો થી મળશે રાહત

શાસ્ત્રો અનુસાર શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. કહેવાય છે કે શનિદેવ વ્યક્તિને કર્મ અનુસાર જ તેનું ફળ આપે છે, એટલે કે જેવા વ્યક્તિના કર્મ હોય છે શનિદેવ તેને અનુસરીને ન્યાય કરે છે એટલા માટે જ શનિદેવને સારા અને ખરાબ કર્મોનો ફળ આપનારા માનવામાં આવે છે.

જો વાત ઇતિહાસની કરીએ તો શનિદેવને સૌથી વધુ ક્રુર સ્વભાવ વાળા દેવતા માનવામાં આવે છે. અને આ ખરાબ કાર્ય કરવાવાળા વ્યક્તિઓ માટે ખૂબ જ હાનિકારક હોય છે. અને જો શનિદેવ કોઈપણ વ્યક્તિની ઉપર કૃપા કરે તો તે વ્યક્તિનું જીવન ખુશહાલ બની જાય છે. પરંતુ આ બધી બાબતો એક જ વસ્તુ પર નિર્ભર કરે છે તે છે વ્યક્તિના કર્મ.

ઘણા લોકો એવું પણ માને છે કે શનિદેવ સારા દેવતા નથી અને તે હંમેશા વ્યક્તિને દંડ આપે છે. પરંતુ એવું જરા પણ નથી કારણ કે શનિ દેવ હંમેશા ન્યાયનો જ સાથ આપે છે. એટલે જ તેને ન્યાય પ્રિય કહેવાય છે.

આપણી આજુબાજુ આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે વ્યક્તિને કાયમ પોતાના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ સાથે સામનો કરવો પડતો હોય છે. એ ચાહે આર્થિક પરિસ્થિતિ હોય કે શારીરિક રીતે પરંતુ તે ઘણી મુશ્કેલીઓનો સામનો કરતો હોય છે. તો આનું એક કારણ એવું પણ હોઈ શકે છે કે શનિદેવ નારાજ થયા હોય કારણકે ઘણી વખત અજાણતા એવી ભૂલ કરી બેસે છે જેનાથી શનિદેવ નારાજ થઈ શકે છે. અને જેના પરિણામરૂપે આપણને જીવનમાં કષ્ટ સહેવો પડે છે. આજે આપણે થોડા એવા ઉપાય વિશે બતાવીશું જે કરવાથી એવું માનવામાં આવે છે કે શનિદેવના પ્રકોપથી બચી શકાય છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts