શનિદેવ ને શાંત કરવા માટે અચૂક અપનાવો આ રામબાણ ઉપાય, દુઃખો થી મળશે રાહત

જો તમે શનિદેવના પ્રકોપનો શાંત કરવા ઇચ્છતા હોવ તો દર શનિવાર ના દિવસે કાળી ગાય ની સેવા કરવી જોઈએ અને પોતે ભોજન લેતાં પહેલાં પહેલો ટુકડો ગાયને ખવડાવવો જોઈએ તેમજ ગાયને સિંદૂર પણ લગાવવું જોઈએ અને પૂજા કરવી જોઈએ જો આ ઉપાય કરવામાં આવે તો શનિદેવ તમારાથી પ્રસન્ન થાય છે અને જીવનની સમસ્યાઓ દૂર કરે છે.

જો તમે સવારે અને સાંજે દરમિયાન મહામૃત્યુંજય મંત્ર નો જાપ કરો તો એનાથી શનિદેવનો ક્રોધ શાંત થાય છે અને દુષ્પ્રભાવોથી છુટકારો મળે છે. સાથે ઓમ નમઃ શિવાય નો જાપ પણ કરવો જોઈએ કારણકે શનિદેવ શિવજીના ભક્ત છે અને જો તમે શિવજીને પ્રસન્ન કરી લો તો શનિદેવ પણ તમારાથી પ્રસન્ન થઈ જાય છે.

તમે શનિવારના દિવસે વાંદરાને શેકેલા ચણા ખવડાવી શકો છો તેમજ ગળી રોટલી પર તેલ લગાવીને કાળા કૂતરાને ખવડાવવાથી પણ તમારા જીવનમાં મુશ્કેલીઓ સમાપ્ત થાય છે અને શનિદેવનો પ્રકોપ ઓછો થાય છે.

તેમજ શનિદેવને પ્રસન્ન કરવા ઈચ્છતા હોય તો હનુમાનજી, ભૈરવ અને શનિ ચાલીસાના પાઠ કરવા જોઈએ. સાથે સાથે પીપળાના વૃક્ષ ની સાત પરિક્રમા કરવી જોઈએ. તો વ્યક્તિ શનિની સાડાસાતીથી પરેશાન હોય તો સૂર્ય આથમ્યા પછી શનિવારે પીપળાના વૃક્ષને મીઠું જલ અર્પિત કરવું જોઈએ અને સરસવ ના તેલ નો દીવડો પ્રગટાવીને અગરબતી કરવી જોઈએ આનાથી શનિદેવની સાડાસાતીનો પ્રભાવ સમાપ્ત થાય છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts