ઉપરાષ્ટ્રપતિ એ ચંદ્રયાન-૨ વિશે કહી દીધી એવી વાત કે દરેક લોકો કરી રહ્યા છે વખાણ…

The nation is proud of #ISRO’s achievements. My best wishes for all your future endeavours. #Chandrayaan2

— VicePresidentOfIndia (@VPSecretariat) September 7, 2019

તેઓએ લખ્યું હતું કે ઇસરોના વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને ચંદ્રયાન-૨ સાથે જોડાયેલા દરેક લોકો ને space exploration માં નવા મોરચા ઉપર વિજય પ્રાપ્ત કરવાના પ્રયાસ માટે તેમજ તેની કડી મહેનત તેમજ પ્રતિબદ્ધતાને કારણે હું તેઓને સલામ કરું છું. ત્યાર પછી તેઓ આગળ લખ્યું હતું કે દેશને ઈસરો ઉપર ખુબ જ ગર્વ છે. ત્યાર પછી તેઓએ ઈસરોને તેના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ આપી હતી.

જણાવી દઈએ કે ચંદ્રયાન-૨ ના લેન્ડર વિક્રમ જ્યારે ચંદ્ર પર ઊતરતી વખતે 2.1 કિલોમીટરની ઊંચાઇ પર હતું ત્યારે તેનો સંપર્ક તૂટી ગયો હતો.

પરંતુ ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા, એમાં ઘણા લોકો એવું પણ કહ્યું હતું કે માત્ર સંપર્ક તૂટ્યો છે પરંતુ સંકલ્પ તૂટ્યો નથી. સાહસ હજુ એમનું એમ જ છે. અને દેશના દરેક નાગરિકને ઈસરો ઉપર ગર્વ છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts