દીકરી ની વિદાય વખતે પિતા સૌથી છેલ્લે રડે છે, કારણ કે…

જ્યાં સુધી પોતાના પિતા જીવતા હોય ત્યારે દીકરી પોતાના પિયર ભક્તિ આવતી જતી રહે છે અને તે લગ્ન થયા હોવા છતાં પણ પોતાના ઘરમાં હજુ જીદ કરી લે છે અને કોઈ પણ જો તેને કંઈ કહે તો તરત જ તે તેને જવાબ આપી દે છે કે આ મારા પિતાનું ઘર છે. લગ્ન પછી પણ જ્યાં સુધી પિતા હોય ત્યાં સુધી તે પિયરમાં કોઈની પણ બીક રાખતી નથી. પરંતુ જેવા એના પિતા આ દુનિયામાંથી ચાલ્યા જાય છે કે દીકરી ત્યારે આવે ત્યારે એટલું ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે કે ત્યાં હાજર દરેક સગા સંબંધીઓને ખબર પડી જાય છે કે તેની દીકરી આવી ગઈ છે. અને તે દિવસે દીકરી હિંમત હારી જાય છે કારણકે તે દિવસે તેના પિતા નહીં પરંતુ જાણે તેની હિંમત ચાલી ગઈ હોય તેવું તેને મહેસુસ થાય છે.

પિતાના આ દુનિયામાંથી ચાલ્યા ગયા પછી દીકરી ક્યારેય પોતાના ભાઈના ઘર માં કે પોતાના પિયર કોઈપણ લોકો સાથે જીદ કરતી નથી, અને એ પછી કોઈ પણ બાબત કેમ નથી. તેમ છતાં તે કોઇ પણ વાતમાં જીદ કરતી નથી. કારણ કે દીકરી પણ સમજે છે કે જ્યાં સુધી પિતા હતા ત્યાં સુધી દરેક વસ્તુ તેની હતી.

બાકી આ વિષય એવો છે કે આ વિષય ઉપર લખવા જઈએ તો લેખના લેખ લખાઈ જાય તેમ છતાં ઘણી બધી વસ્તુ કહેવાની રહી જાય.

પિતા માટે તેની દીકરી તેની જિંદગી હોય છે પણ એ ક્યારેય જણાવી શકતો નથી, ક્યારેય બોલતો નથી. અને એવી જ રીતે દીકરી માટે પણ પોતાના પિતા તેની સૌથી મોટી હિંમત અને ઘમંડ હોય છે પરંતુ દીકરી પણ આ વાત ક્યારે પણ જણાવતી નથી. ક્યારે પણ તે બોલતી નથી.

પિતા અને દિકરી નો પ્રેમ એ દરિયા કરતાં પણ ઊંડો છે એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી, જો તમને આ લેખ પસંદ પડ્યો હોય તો દરેક લોકો જોડે શેર કરજો. અને કોમેન્ટમાં તમારા રેટિંગ જરૂર આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts