આ ફિલ્મના સેલિબ્રિટીઓ ને થઈ ચૂક્યો છે ભૂતિયો અનુભવ, રણવીર સાથે જે થયું તે જાણીને ચોકી જશો

હમણાં જેના લગ્ન થયા તે રણવીર સિંહ ને પણ એક આવો અનુભવ થઈ ચૂક્યો છે, બાજીરાવ મસ્તાની ના શૂટિંગ દરમિયાન તેને અલગ જ અનુભવ થયો હતો. તેને ખુદ બાજીરાવની આત્મા હોવાનો અહેસાસ થયો હતો. અને તેને જણાવ્યું હતું કે કાળા બોર્ડ પર તેઓએ એક આકૃતિ બનેલી જોઈ જે બિલકુલ પેશવા બાજીરાવ જેવી દેખાઈ રહી હતી. તેઓએ એમ પણ કહ્યું હતું કે આ તેને ભ્રમ થયો હતો કે હકીકતમાં આવું હતું તે હજી સુધી જાણી શક્યા નથી.

વરુણ ધવન સાથે પણ આવો વિચિત્ર અનુભવ થયો હતો, હકીકત મા તેઓ એક વખત એબીસીડી ટુ ફિલ્મ ના શૂટિંગ દરમિયાન એક હોટલમાં રોકાયા હતા, જે એવું માનવામાં આવી રહ્યું હતું કે આ હોટલ માં એક પ્રખ્યાત ગાયક નું ભૂત થાય છે, અને અનાયાસે કહો કે સંજોગે પરંતુ વરુણ ધવન ને એ જ રૂમ આપવામાં આવ્યો હતો, રાતના થાકી ને રૂમ પર આવ્યા પછી જેવા સુતા કે તેને વિચિત્ર અવાજ સંભળાવા લાગ્યા, અને તેના રૂમ નો દરવાજો પણ વિચિત્ર અવાજ સાથે આપોઆપ ખૂલી રહ્યો હતો.

બોલિવુડની સ્ટાર કોરિયોગ્રાફર માનવામાં આવતી સરોજ ખાન ઘણી ફિલ્મોમાં કોરિયોગ્રાફી તરીકે પોતાનું નામ મશહૂર કરી ચૂકી છે. પરંતુ એક વખત તે જ્યારે પોતાના ગ્રુપ સાથે હોટલમાં રોકાયેલી હતી ત્યારે તેને કંઈક અજીબ અનુભવ થયો હતો, તેઓને લાગ્યું કે અચાનક કોઈ તેની ઉપરના માળ માં વારંવાર ફર્નિચર ફેરવી રહ્યું છે, પરંતુ તેને જ્યારે હોટલના સ્ટાફને આ ઘટનાની ફરિયાદ કરી તો તેને જણાવવામાં આવ્યું કે તે જે રોકાઈ હતી તેની ઉપર કોઈ માળ હતો જ નહીં છે.

શું તમારી સાથે પણ આવો ક્યારેક વિચિત્ર અનુભવ થયો છે, તો કમેન્ટમાં જણાવજો. અને શું તમે પણ આવી અગોચર શક્તિઓમાં માનો છો કે કેમ તે પણ કમેન્ટમાં જણાવજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts