લાલબહાદુર શાસ્ત્રી – વચનપાલન નો બોધ આપતી સત્યઘટના

પરંતુ જ્યારે શાસ્ત્રીજી તેમના ઘરે પહોંચ્યા ત્યારે તેઓ મોડા પડી ગયા હતા, કારણ કે એમની દીકરી અવસાન પામી ચૂકી હતી. માટે સ્મશાન સુધી સાથે રહીને બધી જ વિધિઓ કરીને ઘરે જઈને તેમને સ્નાન કર્યું. અને સ્નાન કર્યા પછી તેઓ તરત જ જેલ જવા રવાના થઇ ગયા.

જો તેઓ ઈચ્છે તો તેઓ પંદર દિવસ ઘરમાં રહી શકે તેમ હતા. કારણ કે પંદર દિવસ નો પેરોલ હતો. પરંતુ તેઓ એક મિનિટ પણ ઘરમાં વધુ ન રોકાયા.

આથી કોઈએ તેમને પૂછ્યું કે તમને પંદર દિવસ મળ્યા છે છતાં કેમ અત્યારે જ જેલમાં જાઓ છો. ત્યારે એમણે એટલો જ જવાબ આપ્યો હતો કે. મારી બીમાર દીકરીની સારવાર માટે પેરોલ મળ્યો હતો. દીકરી જ ન રહી તો હવે જેલમાં પાછા જવાની મારી ફરજ બને છે.

આ ઘટના એક ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણી શકાય કે ત્યારના આપડા સ્વાતંત્ર્ય સેનાનીઓના સ્વભાવ વિચાર સરણી બંને કઈ રીતના હતા, આ ઘટના માંથી વચનપાલન નો પણ બોધ મળે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts