લગ્નની એ પહેલી રાત – શેર અચુક કરજો…

એ જ સમયે તેની માતાની નજર એક ખુબ જ ખરાબ હાલત માં બેઠેલા એક વૃદ્ધ પડી, તેની હાલત એટલી બધી ખરાબ હતી કે તેનો ચહેરો પણ ઠીક થી દેખાઈ રહ્યો ન હતો. પરંતુ આ વૃદ્ધ તેની પાસે પડેલા ભોજન અને તેના બાળકો પ્રત્યે એક ટસે જોઈ રહ્યો હતો, આથી માતાને તે વૃદ્ધ પર દયા આવી ગઈ અને તેના બાળકોને કહ્યું કે જાઓ પહેલા પેલા વૃદ્ધ ને નવડાવી દો અને તેને વસ્ત્ર આપો ત્યાર પછી આપણે ભોજન કરીશું. દીકરાઓએ બિલકુલ માતાએ કહ્યું તેમ કર્યું પછી તેને માતા સામે લઈ આવ્યા તો માતા જોઈને આશ્ચર્ય ચકિત રહી ગઈ કારણકે તે વૃદ્ધ બીજું કોઈ નહીં પરંતુ એ જ માણસ હતો જેની સાથે તેને લગ્નની પહેલી રાત્રે જ છૂટાછેડા લીધા હતા.

માતા તરત જ આ વૃદ્ધ ને ઓળખી ગઈ અને તેને પૂછ્યું કે તમારી આવી હાલત કઈ રીતે થઈ? આથી વૃદ્ધે પોતાની નજર જુકાવી ને કહ્યું કે મારી પાસે બધું જ હતું, અને કંઈ જ કમી ન હતી પરંતુ છતાં પણ મારા બાળકો મને ભોજન આપતા ન હતા, મારો તિરસ્કાર કરતા હતા, મને ઘરથી બહાર કાઢી મૂક્યો.

ત્યારે પેલી સ્ત્રીએ તેને જવાબ આપ્યો કે આ વાતનો અંદાજો તો મને સુહાગરાતના દિવસે જ લાગી ગયો હતો જ્યારે તમે પહેલા પોતાની માતાને ભોજન કરાવવા ની જગ્યાએ તે સ્વાદિષ્ટ ભોજનને લઈને મારા રૂમમાં આવી ગયા હતા અને મારા વારંવાર કહેવા છતાં તમે પોતાની માતાનો તિરસ્કાર કર્યો હતો, કદાચ આજે એનું જ તમે ફળ ભોગવી રહ્યા છો.

જેવો વ્યવહાર આપણે આપણા વડીલો સાથે કરીશું તે જોઈને આપણા બાળકો માં પણ એ જ ગુણ આવે છે કે કદાચ આ જ પરંપરા હોય છે, કાયમ માતા-પિતાની સેવા કરવી તે આપણું દાયિત્વ બને છે. જે ઘરમાં માતા-પિતા હશે છે તે જ ઘરમાં પ્રભુ વસે છે.

દરેક લોકોની આંખ ઉઘાડી દે તેવો પ્રસંગ અહીં વર્ણવ્યો છે, તમને નમ્ર વિનંતી છે કે આ લેખ ને એટલો શેર કરજો કે દરેક લોકો સુધી પહોંચી જાય, અને દરેક લોકો આ પ્રસંગ નો ભાવાર્થ સમજી ને કદી પણ તેના માતા-પિતા નો તિરસ્કાર ન કરે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts