રસોઈયાએ આવીને કહ્યું પુલાવમાં કાંકરો છે, પછી બધા લોકો નું વર્તન જોઈને તમે પણ…

રસોઇયાએ આવું કહ્યું એ સાંભળીને બધા લોકો એકબીજા તરફ જોવા લાગ્યા, જમ્યા પછી પણ લોકોને સારું નહોતું લાગી રહ્યું અને બધા લોકો નિરાશ થઇ ગયા હતા કારણ કે બધા લોકોનું ધ્યાન જમવાના સ્વાદમાં નહીં પરંતુ કાકરા માં જ હતું. અને એટલા માટે જ કોઈપણ લોકો ભરપેટ જમી પણ ન શક્યા અને જમવાનો આનંદ પણ ન ઉઠાવી શક્યા તેમજ કોઈને જમવાનો સ્વાદ પણ આવ્યો નહીં.

ભલે આ કદાચ એક સ્ટોરી હશે પરંતુ આપણા બધાની આજની પરિસ્થિતિ પણ કંઈક આવી જ છે, એક વાયરસ ના કારણે આપણી જિંદગી પહેલા જેવી નથી રહી, ઘણા લોકોની જિંદગી પહેલાં કરતાં ઘણા અંશે બદલાઈ ચૂકી છે.

આપણે નિશ્ચિતપણે ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે અને ખૂબ જ તકેદારી પણ રાખવાની જરૂર છે પરંતુ સાથે સાથે જિંદગીને માણવી પણ જરૂરી છે. આપણે દરેક વસ્તુ વ્યક્તિ ઉપર શંકા કરીએ તે વ્યાજબી નથી.

શારીરિક રીતે પણ આપણે થાક મહેસૂસ કરી રહ્યા છીએ આ બધું આપણા વિચારો પર પણ થોડા અંશે નિર્ભર છે. એટલે આપણે વાયરસને નહીં પરંતુ આપણી જાતને મજબૂત કરીએ. આપણા વિચારોને હંમેશા હકારાત્મક રાખીએ, ભગવાનની કૃપાથી બધું જલદી સારું થઈ જાય એવી પ્રાર્થના કરીએ.

જમતી વખતે જમવા નો પુરો આનંદ ઉઠાવી એ અને બહાર જતી વખતે સંપૂર્ણપણે તકેદારી રાખીએ તેમજ માસ્ક પહેરીએ અને સામાજિક અંતર પણ અપનાવીએ.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts