પુલવામા હુમલા પછી રવીના ટંડન નો મોટો ફેસલો, શહીદ જવાનોના બાળકો નો ભણવાનો ખર્ચ ઉઠાવશે

બોલિવૂડ ની અભિનેત્રી રવીના ટંડન પણ શહીદોના પરિવારને મદદ માટે આગળ આવી છે. ઘણા બોલિવૂડના અભિનેતાઓએ શહીદોના પરિવારને આર્થિક મદદ કરી છે પરંતુ રવીના ટંડન અલગ નિર્ણય લીધો છે. અને આ નિર્ણય જાણીને દરેક ને ગર્વ થાય એવો નિર્ણય છે.

રવીના ટંડન એ નક્કી કર્યું છે કે હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારનાં બાળકોનો ભણતરનો ખર્ચ અભિનેત્રી ઉઠાવશે. અને આ વાત ખુદ તેને એક ઇવેન્ટ દરમિયાન મંગળવારે જણાવી હતી. તે એક એવોર્ડ ફંકશનમાં પહોંચી હતી જ્યાં તેને આ વાત જણાવી હતી.

આમ પણ રવીના ટંડન પરોપકારી કાર્યો માટે જાણીતી છે, એવા માટેનો આ નિર્ણય ખરેખર ગર્વ લેવા જેવી બાબત છે. સાથે રવિના ટંડને જણાવ્યું હતું કે માત્ર પુલવામામાં થયેલા હુમલામાં શહીદ થયેલા બાળકો માટે નહીં પરંતુ દરેક શહીદો માટે છે, તેની ફાઉન્ડેશન શહીદોના બાળકો ના ભણતર ની દેખરેખ રાખશે અને સ્કોલરશીપ પણ આપશે.

જણાવી દઈએ કે રવીના ટંડન સિવાય બોલિવુડના ઘણા લોકોએ શહીદોના પરિવારને મદદ કરી છે, અને દરેક સામાન્ય નાગરિકોએ પણ પોતાનાથી બને તેટલી શહીદ ના પરિવારને મદદ કરી છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts