|

લોહી માં પ્લેટલેટ્સ કાઉન્ટ ને કઈ રીતે વધારી શકાય? જાણો પ્લેટલેટ્સ વીશે

વિટામીન સી યુક્ત પાલક નો ઉપયોગ ઘણી વખત પ્લેટલેટ્સ વધારવામાં કરવામાં આવે છે. બે કપ પાણીમાં ચારથી પાંચ પાલકના પાંદડાને નાખીને ઉકાળી લો. ઠંડુ થાય ત્યારે તેમાં અડધો ગ્લાસ ટમેટાંનો રસ મેળવીને પી જાઓ. આ સિવાય ટમેટા ના રસ તેમજ શાકનું પણ સેવન કરી શકાય છે.

નારિયેળ ના પાણીનું સેવન કરવું જોઈએ. કારણ કે એમાં મોજુદ ઇલેક્ટ્રોલાઇટ્સ અને મિનરલ્સ લોહીમાં રહેલી પ્લેટલેટ્સની ખામીને પૂરી કરે છે.

આમળા મા રહેલું વિટામિન સી લોહીના પ્લેટલેટ અને પ્રતિરક્ષા પ્રણાલીને વધારવામાં મદદ કરે છે. રોજ સવારે ખાલી પેટ એકથી બે આમળા ખાવા જોઈએ, આ સિવાય આમળાના રસમાં મધ ભેળવીને તેનું સેવન કરવાથી પણ ફાયદો મળે છે.

બીટમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે. આનું સેવન કરવાથી થોડાક જ દિવસોમાં પ્લેટલેટ્સ વધી જાય છે. એક ગ્લાસ ગાજરના રસમાં ત્રણથી ચાર ચમચી બીટનો રસ ઉમેરવાથી અને એનું સેવન કરવાથી જલદી ફાયદો મળી શકે છે.

આ સિવાય રોગોમાં ક્યારેય શરીરની પરિસ્થિતી જાણ્યા વગર ઘરેલું ઉપચાર કરવા જોઈએ નહીં, કારણ કે જો ડોક્ટર ની સલાહ લીધા વગર કંઈ ઉપાય કરવામાં આવે તો તે શરીરમાં શું આડઅસર કરી શકે તેની જાણ જ હોતી નથી. જેમ કે ઘણી વખત શરીરમાં ગરમ પડતી વસ્તુનું સેવન કરવામાં આવે તો રોગ ની જગ્યાએ તેની અસર થતી નથી અને આડઅસર પડી શકે છે. માટે જ કહેવાય છે કે ચેતતો નર સદા સુખી!

Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts