દિવાળીની રાત્રે અજમાવો આ ટોટકાઓ, ચમકી જશે કિસ્મત, થઈ જશો માલામાલ

દિવાળીની રાત્રે માટીના કોઇપણ પાત્રમાં ચાંદીનો સિક્કો રાખીને તેને મહાલક્ષ્મીને અર્પિત કરો અને પછી કોઈપણ લક્ષ્મી મંત્રનો ઉચ્ચારણ કરી તેનું પૂજન કરો. પૂજન પછી ચાંદીના સિક્કા ને કોઈ એવી જગ્યા પર પ્રસ્થાપિત કરો જ્યાં સૂર્યની કિરણો ન પડતી હોય. આવું કરવાથી મા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદાય વરસતી રહેશે. સાથે દેવું પણ દૂર થશે.

દિવાળીની રાત્રિએ થી શરૂ કરીને દરેક શનિવાર ના દિવસે કોઈપણ પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો. આવું કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે અને બધાના વિચારો મળે છે.

દિવાળીની રાત્રે ઘરના દરેક રૂમમાં શંખ વગાડવા જોઈએ. કારણકે શંખની પવિત્ર ધ્વનિ થી ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.

પરિવારની સમૃદ્ધિ માટે દિવાળીની રાત્રે પરિવારના દરેક સદસ્ય ઉપરથી સાત વખત કાળા તલ ઉતારીને પશ્ચિમ દિશામાં ફેંકી દો. આવું કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ નો પ્રભાવ ઓછો થઈ જાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts