સવારે ઉઠતાની સાથે જ જો થાક લાગતો થતો હોય તો હોઈ શકે છે આ ગંભીર સમસ્યા, જાણો

અમુક સ્વાસ્થ્યના વિશેષજ્ઞોનું સ્વસ્થ રહેવા માટે રાતના પૂરતી નીંદર લેવી જોઈએ એટલે કે ઓછામાં ઓછું છ થી સાત કલાકની નિંદ્રા લેવી જરૂરી છે. અને આનાથી ઓછી નિંદ્રા લેવામાં આવે તો શરીરના સ્વાસ્થ્ય પર તરત પ્રભાવ જોવા મળે છે. અને સાથે-સાથે રાતના યોગ્ય સમય પર સૂઇ જવું પણ જરૂરી છે, કારણકે જો એક નિશ્ચિત સમય પર સૂવાની આદત ન પાડીએ તો તેની આપણા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. એથી ઊલટું જો નિયમિત પણે નિશ્ચિત સમયે સુઇએ તો તેનો સ્વાસ્થ્ય પર સ્વસ્થ પ્રભાવ પડે છે અને સવારે જાગતાની સાથે આપણને સારુ મહેસુસ થાય છે, અને તાજગી લાગે છે.

જેટલી નીંદર જરૂરી છે તેટલા જ વ્યાયામ પણ જરૂરી છે, એટલે કે જો જિમમાં જવા માટે ટાઈમ ના હોય તો ઘરે પણ કસરત કરી શકાય છે, હળવી કસરતો કરવાથી આખા દિવસ દરમિયાન તમે ઊર્જાવાન રહો છો. અને આપણા શરીરનું અંદર નુ લોહી પરિભ્રમણ સરખી રીતે કામ કરે છે જેથી આપણા સ્વાસ્થ્ય પર કોઈ આડઅસર થતી નથી અને થાક લાગતો નથી.

આ તમને સાંભળવામાં અજુગતું લાગશે પરંતુ જો સવારે ઠંડા પાણીથી ને આવા માં આવે તો આપણી અંદર રહેલા લોહીનું પરિભ્રમણ ઠીક રીતે થવા લાગે છે અને આપણને એક અલગ જ પ્રકારની સ્ફૂર્તિ મળે છે. જેનાથી આપણો થાક દૂર થાય છે અને આપણા તંત્રિકા તંત્ર માટે પણ આ એક લાભદાયી સાબિત થઇ શકે છે. અને આવું કરવાથી આખા દિવસ તમને તાજગી મહેસુસ થાય છે.

Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts