પુલવામા હુમલો: મોદી સરકારનું વધુ એક કડક પગલું, કાશ્મીરી અલગાવવાદીઓ પાસેથી સુરક્ષા છીનવી લેવામાં આવી

જ્યારે ગૃહ મંત્રી રાજનાથ સિંહે બે દિવસ પહેલા કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં ઘણા તત્વો એવા છે જેને અન્ય આતંકી સંગઠનો સાથે કે દુશ્મન દેશની એજન્સીઓ સાથે સાઠગાંઠ છે. તેઓને મળેલી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવશે.અને આજે આ પગલું ભરાઈ ચૂક્યું છે.

જ્યારે હુમલા પછી દેશમાં ચારે બાજુ દુઃખ અને આક્રોશ નો માહોલ છે. અને દરેક લોકો જવાનોની શહાદતનો બદલો માંગે છે. ત્યારે સરકાર પણ એક્શનમાં નજરે આવી રહી છે. ગઈકાલે યોજાયેલી બેઠકમાં પણ ગૃહ મંત્રી રાજનાથ સિંહના ઘર પર ચર્ચાઓ કરવામાં આવી હતી.

હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક રેલીને સંબોધિત કરતા એકવાર ફરીથી પુલવામામાં થયેલા હુમલાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે મેં કાલે પણ કહ્યું છે અને આજે પણ કહી રહ્યો છું. પુલવામામાં થયેલા શહીદોનાં બલિદાન વ્યર્થ નહીં જાય. આતંકના આકાઓ ગમે તેટલા છુપાવવાની કોશિશ કરે પરંતુ તેઓને સજા જરૂરથી આપવામાં આવશે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts