શીતલે વિદાય વખતે કહ્યું મને આ લગ્ન મંજુર નથી, કારણ જાણીને તેના પિતાએ કહ્યું…

એટલામાં શીતલના પિતાએ ભાવુક થઈને શીતલને રોકતા કહ્યું કે દીકરા માત્ર આટલી નાનકડી એવી વાત છે અને… હજુ તો તેના પિતા એની વાત પૂરી કરે કે શીતલ અધુરી વાત આપતા કહ્યું કે આ નાની વાત નથી પિતાજી…મારા પતિને મારા પિતાની ઈજ્જત નથી! શું રોટલી તમે બનાવી હતી, કે પછી બીજી કોઈપણ વસ્તુ તમે પોતે તો બનાવી ન હતી. આ બધું કેટર્સ નું કામ છે, અને તમે તમારું દિલ ખોલીને ભરપૂર ખર્ચ કર્યો છે, જો થોડી કાંઈ ખામી રહી ગઈ તો તે માત્ર કેટર્સ ના કારણે… તમે તો તમારા દિલ ના ટુકડા સમાન તમારી આ દીકરીને વિદાય કરી જ રહ્યા છો ને? તમે કેટલી રાત મને યાદ કરીને રડશો એ મને ખબર નથી, ક્યારે પણ મારા સિવાય બહાર ન નીકળતી મમ્મી કાલે માર્કેટમાં એકલી જશે… શું તે જઈ શકશે?

જે લોકો પત્ની અથવા કહો કે વહુ લેવા આવ્યા છે તે લોકો જમવામાં ખામીઓ શોધી રહ્યા છે. પરંતુ એ વાત કેમ એ લોકોના સમજમાં નથી આવતી કે તમે મારામાં કોઇ ખામી રાખી નથી… શીતલના પિતાએ તેના માથે હાથ ફેરવીને કહ્યું કે અરે દીકરા… તું નાની વાતને મોટું સ્વરૃપ આપી રહી છે, મને તારી ઉપર ગર્વ છે કે તું મારી દીકરી છે પરંતુ બેટા અને માફ કરી દે… તને મારા સમ, શાંત થઈ જા.

એટલામાં જ અભિષેકે પણ આવીને શીતલના પિતાના હાથ પકડીને કહ્યું કે મને માફ કરી દો… મારાથી ભૂલ થઈ ગઈ… હું… હું માત્ર… તે એનાથી આગળ કશું બોલી શક્યો નહીં. એટલામાં જ શીતલ ના સસરા પણ ત્યાં આવીને શીતલ ના માથા ઉપર હાથ રાખીને કહ્યું કે હું તો અહીં વહુ લેવા આવ્યો હતો પરંતુ ભગવાન ખૂબ જ કૃપાળુ છે તેને મને દીકરી આપી દીધી, અને સાથે સાથે દીકરીનું મહત્વ પણ સમજાવી દીધું. મને ભગવાને કદાચ એટલા માટે જ દીકરી ન આપી કે તારા જેવી દીકરી મારા નસીબમાં હતી. અને આટલું બોલીને તેઓ બંને હાથ જોડવા જઈ રહ્યા હતા કે શીતલ એ પોતાના સસરાના હાથ પકડીને કહ્યું બાપુજી! એટલે તેના સસરાએ કહ્યું કે બાપુજી નહીં પણ પિતા! શીતલ પણ ભાવુક થઈને તેના સસરા ને ભેટી પડી. શીતલ ના પિતા પણ આવી દીકરી પામીને ગૌરવની અનુભૂતિ કરી રહ્યા હતા.

શીતલ હવે રાજીખુશી પોતાના સાસરે જવા રવાના થઈ ગઈ, અને પાછળ તે આંસુઓથી ભરચક ભરાયેલી પોતાના માતા-પિતાની આંખો ને છોડી ગઈ.

મૂરખ છે એ લોકો જે દીકરીને પરાયું ધન માને છે, દીકરીએ માબાપ નું અભિમાન અને કદી માપી ન શકાય તેવું અમૂલ્ય ધન હોય છે. લગ્નમાં જઈએ તો ધ્યાન રાખવું કે લગ્નમાં સારું જમાડવા માટે એક પિતાએ કેટલુ કયું હશે અથવા કેટલું ખોઈ બેસશે તેની કિંમત આંકી શકાય નહિ… પોતાનો ફળિયુ ઉજાળીને બીજાના ફળિયાને મહેક આપવાનું કામ કંઈ નાની વાત નથી. કદાચ એટલે જ કહેવાતું હશે કે ક્યારે પણ લગ્નના જમણવારમાં ખામીઓ ન કાઢવી. દીકરીના લગ્ન ના જમણવારમાં તૈયાર થનારી વસ્તુઓ ને એટલો જ સમય પાકતા લાગે છે જેટલી દીકરીની ઉમર હોય છે.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો આ સ્ટોરી ને દરેક લોકો સુધી શેર કરજો, અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર રાખજો તેમજ આ સ્ટોરી ને 1 થી 10 ની વચ્ચે રેટિંગ જરૂર આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts